લગ્ન દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વનો ભાગ હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને તે લગ્ન પછી જે ઘરમાં જાય છે તેમનું ભાગ્ય પણ તે પરિવાર સાથે જોડાઈ જાય છે. આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને આપણા સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓમાં આવા ગુણ અને તેમના શરીરની બનાવટ હોય છે તે લગ્ન પછી પોતાના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. તો ચાલો જાણી લઈએ આખરે તે કઈ રૂપરેખા અને વિશેષતા છે તે મહિલાઓની જે તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.
જે મહિલાઓના પગમાં કમળનું ચિત્ર કે કોઈ ચક્રનું નિશાન હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી સ્ત્રી માનવામાં આવે છે અને તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હોય છે. તેમના લગ્ન મોટાભાગે તે ઘરમાં થાય છે જેમાં પુરુષ ખૂબ જ મોટો વેપારી અથવા તો કોઈ ઊંચા પદ મેળવનાર હોય છે.
તલ આપણા શરીરનાં કોઈપણ અંગ પર આવી જાય છે પરંતુ જે મહિલાનાં માથા પર તલ હોય છે તેની સાથે કોઈપણ પુરુષનાં લગ્ન થવા ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે આવી મહિલાઓ પોતાના જીવનમાં આત્મનિર્ભર હોય છે અને અન્ય લોકોનો પણ ખૂબ જ ખ્યાલ રાખે છે સાથે જ તે પોતાના પતિ પર કોઈપણ પ્રકારની સમસ્યા આવવા દેતી નથી.
જે મહિલાઓનાં હાથની આંગળીઓની બનાવટ લાંબી હોય છે, તે મહિલાઓનાં પતિનું પણ ભવિષ્ય ઉજ્જવળ માનવામાં આવે છે કારણકે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે મહિલાઓ પોતાનાં જીવનમાં કોઇપણ પરિસ્થિતિને ખૂબ જ સરળતાથી પાર કરવાની ક્ષમતા રાખે છે અને પોતાના પતિને તમામ રીતે સાથ આપે છે, ભલે પછી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કેમ ના થઈ જાય. તે હંમેશા જ પોતાના પતિનો સાથ આપતા નજર આવે છે.
સામુદ્રિક શાસ્ત્રના અનુસાર જે મહિલાઓની નાભિ ઉંડી અને ગોળ હોય છે, તે શારીરિક રીતે ખૂબ જ સુંદર મહિલાઓ હોય છે સાથે જ માનસિક રીતે પણ ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. આ મહિલાઓની અંદર તે પ્રકારના ગુણો મળી આવે છે જે હંમેશા એક પરિવારને જોડીને રાખવાનું કામ કરે છે. આ કારણથી આ મહિલાનું જીવન ખૂબ જ સુખમાં પસાર થાય છે અને તે પરિવારમાં ખુશીઓનું કારણ બને છે અને પોતાના પતિના પ્રત્યે ખુબ જ વફાદાર પણ રહે છે, જેનાથી હંમેશા જ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જળવાયેલું રહે છે.
તે મહિલાઓ જેમના પગની બનાવટ થોડી લાંબી અને મુલાયમ હોય છે, તેમના જીવનમાં પણ ક્યારેય ધનની કમી રહેતી નથી અને તે પોતાના પતિ માટે સૌભાગ્યનું પ્રતીક પણ હોય છે કારણ કે તેમના પતિ પોતાના જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓનાં પગની બનાવટ લાંબી હોય છે તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા હંમેશાં જળવાઇ રહેશે જેના લીધે તેમના ઘરમાં પૈસાની ક્યારેય પણ તંગી રહેતી નથી.