શ્રાવણ હિંદુ પંચાંગનો પાંચમો મહિનો છે, તેને શ્રાવણનાં નામથી જાણવામાં આવે છે. માન્યતા છે કે આ મહિનો ભગવાન શિવજીને ખુબ જ પ્રિય છે એટલા માટે આ દરમિયાન લોકો વિશેષ પુજા અર્ચના કરીને શિવજીની કૃપા પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પુજા કરવાથી તે ઝડપથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરેક ઈચ્છા પુરી કરે છે.
સાથે જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનો ખુબ જ શુભ રહેશે કારણ કે આ મહિનામાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલી રહ્યા છે, જેની અસર દરેક રાશિ વાળા લોકો પર પડશે. ભગવાન શિવજીની કૃપા ૧૨ રાશિઓ પર રહેશે પરંતુ આ ત્રણ રાશિઓને જ ખુબ જ સુખ મળશે. અહીં આપણે જાણીશું જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પવિત્ર મહિનામાં કઇ-કઈ રાશિ વાળા લોકો પર શિવજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે.
મેષ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિવાળા લોકો પર શ્રાવણ મહિનામાં આખા મહિનામાં ભોળાનાથની વિશેષ કૃપા રહી શકે છે. નોકરીની સારી ઓફર આવવાની સંભાવના નજર આવી રહી છે. ધંધામાં પણ પ્રગતિનાં યોગ બનતા નજર આવી રહ્યા છે. કરજ માંથી છુટકારો મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ વાળા લોકોને શ્રાવણમાં મહિનામાં શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ, તેનાથી તમારા ભાગ્યમાં વધારો થઇ શકે છે.
મકર રાશિ
શિવજીની કૃપાદ્રષ્ટિ શનિની રાશિ મકર પર પણ પડતી નજર આવી રહી છે. આમ તો આ રાશિવાળા લોકો પર સાડાસાતી ચાલી રહી છે પરંતુ શ્રાવણ મહિનો તમારા માટે ખાસ રહી શકે છે. આ દરમિયાન શિવજીની પુજા-અર્ચના કરવાથી શિવજીનાં પ્રકોપમાંથી પણ મુક્તિ મળી શકે છે. આ રાશિ વાળા નોકરી કરતા લોકોને શ્રાવણ મહિનામાં નોકરી ની સારી ઓફર આવી શકે છે. આવકમાં વધારો થવાનાં પણ જબરજસ્ત અણસાર રહેશે.
કુંભ રાશિ
શનિ ની આ રાશિ પર પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી મહેરબાન રહેશે. દરેક કામ માં તેજી આવશે. લાભ કમાવવાનાં ઘણા બધા અવસર મળી શકે છે. મનગમતી જગ્યાએ નોકરી મળવાની પણ પ્રબળ સંભાવના છે. આવકમાં સારો વધારો થઇ શકે છે. મુસાફરીથી લાભ મળવાની સંભાવના રહેશે. ધંધો કરતાં લોકોની પણ દરેક સમસ્યા દુર થવાની સંભાવના રહેલી છે. આ મહિને શિવજીની વિશેષ પુજા-અર્ચના કરવાથી ભાગ્યમાં વધારો થવાની સાથે શનિની સાડાસાતીમાંથી પણ થોડી રાહત મળી શકે છે.