ભારત એક અત્યંત પ્રાચીન સભ્યતાવાળો દેશ છે. અહીંયા ઘણી એવી માન્યતાઓ અને નીતિઓ છે જે પ્રાચીન કાળથી ચાલી આવે છે. આજે પણ લોકો તે માન્યતાઓના અનુસાર જ કામ કરે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ અંગ રહ્યું છે. હંમેશાથી લોકો તેમનું પાલન કરતા આવ્યા છે અને શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે. આજના આ આધુનિક યુગમાં પણ ઘણા એવા લોકો છે જેમને પોતાના પર ખૂબ જ વિશ્વાસ છે.
ઘણા ધનવાન લોકો પણ રહે છે જીવનમાં પરેશાન
ઘણા એવા લોકો પણ છે જે ભારતીય સંસ્કૃતિની આ જૂની માન્યતાઓને બક્વાસ માને છે. આવા લોકો જીવનમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. પૈસા હોવાનો મતલબ એવો નથી કે લોકોનાં જીવનમાં કોઈ પરેશાની નથી. ઘણા પૈસાવાળા લોકો પણ જીવનમાં ખૂબ જ વધારે પરેશાન રહેતા હોય છે. ફક્ત પૈસાના દમ પર જ ખુશ રહી શકાતું નથી. સમયના વિશે કહેવામાં આવે છે કે તે સૌથી બળવાન હોય છે પરંતુ એક સત્ય એ પણ છે કે તે કોઈના માટે પણ રોકાતો નથી.
અમુક લોકો સફળતાનો શ્રેય આપે છે ભાગ્યને
ભાગ્ય કે કિસ્મત એવા શબ્દ છે જે આપણને હંમેશા સાંભળવા મળે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે જીવનમાં પોતાની સફળતાનો શ્રેય ભાગ્યને આપે છે. સફળતા તે લોકોને જ મળતી હોય છે જે સાચા મનથી અને પ્રામાણિકતાથી મહેનત કરે છે. પરંતુ ઘણા લોકોને જીવનમાં પ્રામાણિકતાથી સખત મહેનત કરવા છતાં પણ અસફળતાનો સ્વાદ ચાખવો પડતો હોય છે.
આ ઉપાયોથી નહિ જોવું પડે નિષ્ફળતાનું મોઢું
તેમના ઘણા બીજા પણ કારણો હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેમના માટે ઘણા કારણો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ આ ઉપાયોને અપનાવે છે તો તેમને જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતાનું મોઢું જોવું પડતું નથી. આ ઉપાયો અજમાવીને કોઈપણ વ્યક્તિ પોતાના નસીબને બદલી શકે છે. એવું કહેવામાં આવે છે કે અમુક એવા કામ હોય છે જેને રાતે સૂવા માટે બેડ પર જતાં પહેલા કરવા જોઈએ. આવું કરવાથી તમારો ખરાબ સમય ટળી જાય છે.
બેડ પર જતા પહેલા કરો આ કામ
- એવું કહેવામાં આવે છે કે રાતે સૂવા જતા પહેલા એક તાંબાના લોટામાં પાણી ભરીને પોતાના તકિયાની પાસે રાખી દો અને સવારે ઊઠીને તે પાણીને કોઈ છોડમાં નાખી દો. આવું કરવાથી તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે.
- દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. ખૂબ જ જલ્દી તમારો ખરાબ સમય દૂર થઈ જશે.
- પોતાના મનમાં કોઈના માટે પણ ખરાબ ભાવના રાખવી નહી અને કોઈપણ વ્યક્તિને નુકસાન કે દુઃખ પહોંચાડવું નહી.
- તમે જે પણ કામ કરો તે પૂરી પ્રામાણિકતાથી અને મહેનતની સાથે કરવું. આવું કરવા પર થોડા જ દિવસોમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
- જો રાતના સમયે તમને ખરાબ સપના આવે છે કે ડર લાગે છે તો સુવાના સમયે પોતાના તકિયાની નીચે હનુમાન ચાલીસા રાખીને સૂવું જોઈએ. હનુમાનજીની કૃપાથી તમને કોઈપણ પ્રકારનો ભય સતાવશે નહી.