ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાનું રહસ્ય

Posted by

દરેક વ્યક્તિ પોતાના ઘર-પરિવારની સુખ શાંતિ માટે શું નથી કરતો?. તે પોતાના પરિવારના સુખી જીવન માટે પોતાના જીવનમાં દરેક સંભવ કોશિશ કરે છે, જેના કારણે તેમના પરિવારમાં હંમેશા સુખ-શાંતિ જળવાઈ રહે અને તેમના પરિવારના લોકોને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ના પડે. પરંતુ ના ઇચ્છવા છતાં પણ ઘર-પરિવારમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી જાય છે. પરંતુ શું તમને એ વાતની જાણકારી છે કે ફક્ત પાંચ ચીજોથી જ તમને તે બધું જ મળી શકે છે જેમની તમને ઈચ્છા હોય છે. તમે લોકોએ બરાબર જ સાંભળ્યું. હકીકતમાં મહાભારતમાં યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે ઘરની સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે કઇ-કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ ઘણી બધી વાતો જણાવી હતી. તેમાંથી જ અમુક વાતો આજે અમે તમને જણાવીશું.

ઘરમાં ઘી નો દિવો પ્રગટાવો

જેમકે તમે બધા જ લોકો જાણતા હશો કે વ્યક્તિ જો ઘી નું સેવન કરે તો તેનાથી શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે. ઘી નું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. તેનાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમે પોતાના ઘરમાં દરરોજ સાંજના સમયે ઘી નો દિવો પ્રગટાવો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

પાણીનું મહત્વ

જો આપણે વાસ્તુશાસ્ત્રના અનુસાર જોઈએ તો ઘરની અંદર ચોખ્ખું પાણી રાખવાનું એક અલગ જ મહત્વ હોય છે. જો તમારા ઘરમાં કોઈપણ મહેમાન આવે છે તો સૌથી પહેલાં તેમને પાણી પીવા માટે આપવું જોઈએ. જો તમે આવું કરો છો તો કુંડળીમાં રહેલ બધા જ દોષ સમાપ્ત થઈ જાય છે.

ઘરમાં રાખો ચંદન

તમારે પોતાના ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઈએ કારણકે ચંદનની સુગંધથી ઘરની નકારાત્મક ઊર્જા ઓછી થઈ જાય છે. કોઈપણ પૂજાપાઠ કે શુભ કાર્યમાં ચંદનનો ઉપયોગ દેવી દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે. જો તમે ચંદનનું તિલક પોતાના માથા પર લગાવો છો તો તેનાથી તમારા મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

વીણા

માતા સરસ્વતીને બુદ્ધિ અને શિક્ષાની દેવી માનવામાં આવે છે. તેમને વીણા યંત્ર અતિપ્રિય છે. જો તમે પોતાના ઘરમાં વીણા યંત્ર રાખો છો તો તેનાથી તમારા ઘર-પરિવારના સદસ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે, તેની સાથે જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય જાળવી રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

મધ

જો તમે પોતાના ઘરમાં મધ રાખો છો તો તેનાથી ઘણા પ્રકારના દોષ શાંત થઈ જાય છે. પૂજાપાઠમાં મધ દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવે છે. જે વ્યક્તિઓના ઘરમાં દરરોજ પૂજા થાય છે, તેમણે પોતાનાં ઘરમાં હંમેશાં મધ રાખવું જોઈએ.

ઉપર અમે તમને જે પાંચ વાતો જણાવી છે જો તમે તે વાતો પર ધ્યાન આપો છો તો તમારા ઘર પરિવારની દરેક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. જો તમે પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોય તો આ ચીજોને જરૂર અજમાવવી જોઈએ. તમને અવશ્ય ફાયદો પ્રાપ્ત થશે અને તમારા ઘર પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *