ભોજન દરેક વ્યક્તિની અને જીવિત વસ્તુની પ્રથમ અને અગત્યની આવશ્યકતા છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ બે સમયના ભોજન માટે દિવસ રાત મહેનત કરે છે કારણકે તેમનો પરિવાર ક્યારેય પણ ભૂખ્યા પેટે ના સુવે. ખોરાક વગરનું જીવન ધરતી પર અસંભવ છે. વિજ્ઞાનના એક રિસર્ચ અનુસાર જે લોકો પેટ ભરીને ભોજન કરે છે. તેમને સારી ઊંઘ આવે છે. તેનાથી વિરુદ્ધ જે લોકો ભૂખ્યા પેટે સુવે છે તેમને આખી રાત શાંતિ નથી મળતી અને ના તેને સારી ઊંઘ આવે છે.
ભોજનની યોગ્ય કિમત ફક્ત તે લોકો જ જાણી શકે છે જેમણે ઘણા દિવસોથી ભોજન ગ્રહણ કર્યું ના હોય અને ફક્ત તે જ વ્યક્તિ ભૂખનું મહત્વ સમજી શકે છે. તમે ઘણી જગ્યાએ જોયું જ હશે કે ધનિક લોકોના બાળકોને દરેક ચીજ માંગ્યા વગર મળી જાય છે. તેથી તે મહેનત નથી કરી શકતા. બીજી તરફ ગરીબ લોકોના બાળકો નાનપણથી જ બે ટાઈમની રોટલી કમાવવા માટે જીવે છે અને એક દિવસ સફળ વ્યક્તિ બને છે.
ભોજનને ભારત દેશમાં અન્ન દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. માન્યતા છે કે જે અન્ન ની કદર નથી કરતાં અન્ન દેવતા તેમની કદર નથી કરતાં. ભોજન આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં લખેલ અનુસાર જે ઘરમાં ભોજનની કદર થાય છે તેમના ઘરમાં ક્યારેય પણ ધન ની કમી હોતી નથી. જો તમે પણ તમારા ઘરમાં બરકત લાવવા માંગો છો તો આ ખાસ લેખ ફક્ત તમારા માટે જ છે. આજે અમે તમને એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનો અમલ કરીને તમે ગરીબીનો હમેશા માટે ત્યાગ કરી શકો છો. જેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી.
ભોજન કરતાં પહેલા કરો આ કામ
દરેક વ્યક્તિના જીવનમાં ભોજન એક મહત્વની ભૂમિકા ભજવે છે. તેવામાં જો તમે બરકત મેળવવા માંગો છો અને ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે અમારું એક નાનું કામ યાદ રાખવું પડશે. આ કામને તમે દરરોજ નિયમિત રૂપથી ભોજન ગ્રહણ કરતાં પહેલા કરો. આવું કરવાથી તમારે ક્યારેય પણ ધનની ખોટ આવશે નહીં અને માં લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહેશે. તમે જ્યારે પણ ભોજન ગ્રહણ કરો એ પહેલા એકવાર હાથ જોડીને ભગવાનનું નામ જરૂર લો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થશે અને સાથે સાથે તમે પ્રેમપૂર્વક ભોજન પણ ગ્રહણ કરી શકશો.
ક્યારેય નહીં આવે ગરીબી
ઈશ્વર આ સૃષ્ટિના કણ કણમાં વસેલ છે. તેવામાં જો ભોજન ગ્રહણ કરતાં પહેલા આપણે ઈશ્વરનું નામ લઈએ છીએ અથવા તો તેનું ધ્યાન કરીએ છીએ તો આપણું મન શાંત રહે છે અને ઈચ્છા શક્તિ બેગણી થઈ જાય છે. તેનાથી શરીરને એક નવી ઉર્જા મળે છે. જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ કામ કરવાથી તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતાનો વાસ થતો નથી અને આ ઉપાયથી ઘરમાં ગરીબી આવતી નથી.
થાળીમાં હાથ ના ધોવા જોઈએ
શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘરમાં ભોજનનો અનાદર કરવામાં આવે છે. તે ઘરમાં ક્યારેય પણ સુખ આવતું નથી અને હમેશા પૈસાની તંગી રહે છે. તેવામાં ભૂલથી પણ ભોજનની થાળીમાં હાથ ધોવા ના જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ફરી ક્યારેય પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતા. તેથી ભોજન કરતાં પહેલા પોતાના હાથ સારી રીતે સાફ કરી લો અને ભગવાનને યાદ કર્યા બાદ જ ભોજન કરો. કારણકે તમારે આગળ જઈને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો ના પડે.