ભુલથી પણ ફ્રિઝમાં રાખવામા આવેલ લોટનો ના કરો ઉપયોગ, નહિતર આ બિમારીઓના થઈ જશો શિકાર

Posted by

વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત રહેતો હોય છે. પોતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવી રાખવા માટે લોકો દરરોજ વ્યાયામ કરતા હોય છે અને સ્વાસ્થ્યવર્ધક ચીજોનું સેવન કરતા હોય છે. પરંતુ કોઇને કોઇ જગ્યાએ આપણાથી કંઈક ભૂલ તો થઈ જ જતી હોય છે. જેના કારણે આપણે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે.

ઘણીવાર જોવા મળ્યું છે કે જ્યારે ઘરમાં રોટલી બનાવવામાં આવે છે તો ઘણીવાર વધારે પડતો લોટ ગુંથેલ હોવાના કારણથી મહિલાઓ તેને સુરક્ષિત રીતે ફ્રીજમાં રાખી દેતી હોય છે. કારણકે બીજીવાર તે લોટથી રોટલી બનાવી શકાય અને ફ્રીઝમાં રાખવાથી લોટ ખરાબ ના થાય. પરંતુ લગભગ તમને લોકોને એ વાતની જાણ નહીં હોય કે ફ્રીજમાં રાખવામાં આવેલ લોટની રોટલી બનાવીને તેનું સેવન કરવાથી તમે ઘણી બિમારીઓની ઝપેટમાં આવી શકો છો. કારણકે જ્યારે ફ્રીજની અંદર ગુંથેલ લોટ રાખવામાં આવે છે ત્યારે લોટ પર ભીનું કપડું રાખવામાં આવે છે. જેનાથી તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનીકારક કેમિકલ ઉત્પન્ન થવા લાગે છે.

આજકાલની મહિલાઓ પોતાના કામકાજમાં ખુબ જ વ્યસ્ત રહેતી હોય છે. મહિલાઓ બહાર નોકરી કરતી હોય છે. જેના લીધે તે પોતાના કામકાજમાં હંમેશા વ્યસ્ત રહેતી હોય છે. પોતાનો સમય બચાવવા માટે ઘણીવાર મહિલાઓ વધારે પડતો લોટ ગુંથીને રાખી દેતી હોય છે. કારણ કે તેમનો સમય બચી શકે.

પરંતુ ફ્રીજમાં રાખવામાં આવેલ વાસી લોટની રોટલી ભલે તમને ખરાબ ના લાગતી હોય પરંતુ જો તમે તેમનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણા પ્રકારની બિમારીઓનું જોખમ રહે છે. આજે અમે તમને ફ્રીજમાં રાખવામાં આવેલા વાસી લોટની રોટલીઓથી તમારે કઈ કઈ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તેના વિશે જાણકારી આપીશું.

જાણો ફ્રીજમાં રાખવામાં આવેલા વાસી લોટથી ક્યા પ્રકારની પરેશાનીઓ થાય છે

જો તમે રાતના બચેલા લોટથી બીજા દિવસે તેનો ઉપયોગ કરીને રોટલી બનાવો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણકે વધેલા લોટનો ફરીથી ઉપયોગ કરવાથી તમને કબજિયાતની સમસ્યા થવાની સંભાવના વધારે રહે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો તેમને તેમનું સેવન બિલકુલ પણ ના કરવું જોઈએ.

જો તમે વાસી અને બચેલા લોટની રોટલી બનાવીને ઉપયોગ કરો છો તો તેનાથી તમારી પાચનક્રિયા ખરાબ થવાની સંભાવના રહે છે. તેના સિવાય તમારી ઇમ્યુનીટી સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. વાસી લોટની રોટલી ખાવાથી તમને ગેસની સમસ્યા પણ ઉત્પન્ન થવા લાગે છે. ઘણીવાર તમારા પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થાય છે.

વાસી ચોખા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

ફક્ત વાસી લોટ જ નહીં પરંતુ વાસી ચોખા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનદાયક સાબિત થાય છે. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે લોકો પકાવેલા ચોખાને રાખી દેતા હોય છે અને તેને બીજી વાર ગરમ કરીને તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બીજી વાર ગરમ કરવાથી તેમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા ખૂબ જ વધારે પ્રમાણમાં વધવા લાગે છે. તેથી તમારે ક્યારેય વધારે સમય પહેલા પકાવેલા ચોખાનું સેવન ના કરવું જોઈએ. કારણ કે તેના લીધે તમને ઉલ્ટી, પેટમાં દુ:ખાવો, ડાયેરિયા જેવી બિમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

ઉપરની જાણકારીથી તમે જાણી ગયા હશો કે વાસી લોટ અને વાસી ચોખાનું સેવન કરવાથી તમારે કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના સિવાય જો તમે કોઈપણ ખાવાની ચીજ ફ્રીજમાં રાખ્યા બાદ તેનો ઉપયોગ કરો છો તો તેમાં રહેલ પોષક તત્વ નષ્ટ થઈ જાય છે. હંમેશા ભોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે તેમાં રહેલ પોષક તત્વ આપણને મળી શકે. પરંતુ આપણે ભોજન ફ્રીઝમાં રાખી દઈએ છીએ જેનાથી ભલે ભોજન ખરાબ થતું નથી પરંતુ તેમાં રહેલ પોષક તત્વ ખતમ થઇ જાય છે. તેથી તમારે કોઈપણ ભોજન ફ્રીજમાં રાખીને તેનો ઉપયોગ ના કરવો જોઈએ. બની શકે તો તમે એટલું જ ભોજન બનાવો જેટલું તમારે જરૂર હોય. પરંતુ તમે પ્રયત્ન કરો કે તમારું ભોજન વધે નહીં કારણકે જો તમે ભોજન ફ્રીજમાં રાખીને તેનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *