ડાયાબિટીસનાં દર્દીઓ માટે વરદાનથી ઓછા નથી ફુદીનાના પાન, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

Posted by

હાલના સમયમાં લોકોનું જીવન ઘણું વ્યસ્ત થઈ ચૂક્યું છે. ભાગદોડ ભરેલા જીવનમાં અનિયમિત જીવનશૈલીનાં કારણે લોકોને ઘણા પ્રકારની બિમારીઓ લાગી રહી છે. વધારેમાં લોકો ડાયાબિટીસની બીમારીથી પીડિત છે. ડાયાબિટીસની બીમારીને “નાઇલાજ” માનવામાં આવે છે. જે ધીરે-ધીરે વ્યક્તિનું જીવન ખતમ કરતી રહે છે. જો આ બીમારી કોઈ વ્યક્તિના શરીરમાં થઈ જાય છે તો જીવનભર ડાયાબિટીસ પીછો છોડતું નથી.

ડાયાબિટીસની બીમારીના કારણે દર્દીઓને આંખોમાં તકલીફ, કિડની-લીવરની બિમારી અને પગમાં તકલીફ થવી સામાન્ય વાત છે. આ બીમારી કોઇપણ ઉંમરમાં લાગી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદાર રહેવું ખૂબ જ આવશ્યક છે અને ખાવાપીવા પર પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે, નહિતર ખરાબ ખાણી-પીણીનાં કારણે સુગર લેવલ પ્રભાવિત થાય છે. એટલું જ નહી પરંતુ શરીર પર ખરાબ પ્રભાવ પણ પડે છે.

ઘણીવાર જોવા મળે છે કે અમુક લોકો જન્મથી જ ડાયાબિટીસની બિમારીથી પીડિત હોય છે. તેવામાં જો આહારમાં થોડું પરિવર્તન કરવામાં આવે તો તેનાથી બ્લડશુગર લેવલ પર કંટ્રોલ મેળવી શકાય છે. ડોક્ટર્સનું એવું માનવું છે કે લીંબુનું અથાણું અને ચટણીનું સેવન જો ડાયાબિટિસના દર્દીઓ કરે છે તો તે તેમના માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ફુદીનાની ચટણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

  • જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે ફુદીનાનો ઉપયોગ ભારતીય રસોઈમાં મુખ્ય રૂપથી ચટણીના રૂપમાં કરવામાં આવે છે. ફુદીનાની અંદર ઘણી ખૂબીઓ છે. ફુદીનાને સ્વાદમાં જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે એવું સમજી શકો છો કે ડાયાબિટીસના દર્દીઓ માટે ફુદીનો કોઈ વરદાનથી ઓછો નથી.
  • તમને જણાવી દઈએ કે ફુદીનાની ચટણીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. તેની સાથે જ તે ઇમ્યુનીટી વધારવામાં સહાયક હોય છે. ફુદીનામાં પ્રોટીન અને ફેટની માત્રા ઓછી હોય છે. જ્યારે ફુદીનામાં વિટામીન-એ, બી-કોમ્પ્લેક્ષ અને વિટામિન-સી ની માત્રા વધારે હોય છે.
  • સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે જો ડાયાબિટીસના દર્દીઓ ફુદીનાની ચટણીનું સેવન કરે છે તો તેનાથી તેમને ફાયદો મળે છે. ફુદીનાની ચટણીમાં એવા ગુણો રહેલાં હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને ઘણી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

ફુદીનાની ચટણી બનાવવાની રીત

  • ફુદીનાની ચટણી બનાવવા માટે તમારે ૫૦ ગ્રામ ફૂદીનો લેવો પડશે.
  • તમે જેટલી માત્રામાં ફુદીનો લીધો છે એટલી જ માત્રામાં આદુ અને દાડમ પણ લો સાથે જ ૨૫ ગ્રામ લસણ પણ લો.
  • હવે તમે ફુદીનાના પાનને સારી રીતે સાફ કરીને ધોઈ લો અને લસણની છાલને કાઢી નાખો.
  • આટલું કર્યા બાદ તમે મિક્સરમાં બધી વસ્તુઓને નાખીને સારી રીતે પીસી લો.
  • હવે તમે સ્વાદ અનુસાર ફુદીનાની ચટણીમાં કાળું મીઠું, ચપટી જીરુ, લીંબુનો રસ અને લીલું મરચું નાખીને તેને એકવાર ફરીથી સારી રીતે મિક્સ કરી દો.
  • ફુદીનો સારી રીતે પીસાઈ જાય તો તમે ચટણીને કોઈ વાસણમાં કાઢી લો અને દિવસમાં ત્રણ વાર આ ચટણીનું સેવન કરો.

ફુદીનાની ચટણીનાં ફાયદા

  • જો કોઈને પાચન સંબંધિત સમસ્યા છે તો આવી સ્થિતિમાં તેમણે ફુદીનાની ચટણીનું સેવન જરૂર કરવું જોઈએ. ફુદીનામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, મેથેનોલ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ રહેલ હોય છે, જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
  • ફુદીનામાં એવા તત્વો રહેલાં હોય છે, જે શરીરમાં કોર્ટિસોલના સ્તરને કંટ્રોલ કરે છે. તેના કારણે તણાવ ઓછો થઈ જાય છે, એટલું જ નહીં પરંતુ તેનાથી તણાવ અને ડિપ્રેશનનો શિકાર થવાથી પણ બચી શકાય છે.
  • શરીરના વજનને ઓછું કરવામાં પણ ફુદીનો ફાયદાકારક માનવામાં આવે છે. ફુદીનામાં એસેન્શિયલ ઓઈલ હાજર હોય છે, જે શરીરનું વજન ઘટાડવામાં સહાયક હોય છે.