શ્રાવણ મહિનામાં કોઈપણ દિવસે લાલ મરચાથી કરો આ એક કામ, કરજ મુક્તિ, દુ:ખ નાશ, શત્રુનાશ અને નજરદોષ માંથી મળશે મુક્તિ

Posted by

તમને ઘણીવાર જોવા મળ્યું હશે કે જ્યારે પણ પરિવારમાં કોઈ અચાનક બિમાર થઈ જાય છે તો તે પરેશાનીથી ઘેરાઈ જાય છે તો પરિવારની વડીલ મહિલાઓ લાલ મરચાથી તેની નજર ઉતારે છે. શું તે માત્ર ટોટકા કે હકિકતમાં એવો ઉપાય કરવાની કોઈપણ અસર હોય છે. શું લાલ મરચા સાથે જોડાયેલા આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધી જાય છે?. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લાલ મરચાનાં આ ઉપાયથી તમે તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકો છો. આજે અમે તમને તેનાં વિશે વિસ્તારથી જણાવીશું.

લાલ મરચાનાં ઉપાયથી કામ-ધંધા ઝડપથી ચાલવા લાગશે

જો તમારો કામ-ધંધો સારી રીતે નથી ચાલી રહ્યો તો માટીનાં ત્રણ દિવા લો. બાદમાં તે ત્રણ દિવામાં તેલ, સરસવ, આખા ધાણા, આખું મીઠું રાખો. ત્યારબાદ તે ૩ દિવામાં એક-એક લાલ મરચાં પણ રાખી દો. બાદમાં તે દિવા ને પોતાનાં કામ-ધંધા વાળી જગ્યાઓ પર રાખી દો. થોડા જ દિવસોમાં તમને કમાલ જોવા મળશે.

માનસિક સમસ્યામાંથી પણ મળે છે રાહત

જો તમે માનસિક સમસ્યાથી પરેશાન છો અને ક્યાંય પણ તમને તેમાંથી છુટકારો મેળવવાનો રસ્તો નજર આવી રહ્યો નથી તો તમે એક લોટામાં પાણી ભરીને તેમાં સુકા ૨૧ લાલ મરચાનાં બી નાખી દો. ત્યારબાદ તે લોટા ને સુતા પહેલા માથા પાસે રાખી લો. બાદમાં બીજા દિવસે સવારે ઉઠો અને પોતાનાં માથા ઉપરથી ૭ વાર તે લોટા ને ફેરવીને પાણીને ઘરની બહાર ક્યાંક યોગ્ય જગ્યા પર ફેંકી દો.

દુશ્મનોનું બદલાઈ જાય છે મન

તમારો કોઈ પરિચિત કે અપરિચિત દુશ્મન સતત તમારી પાછળ પડ્યો છે તો તમે લાલ મરચાનો આ ઉપાય કરો. તમે કોઈપણ મંગળવાર કે શનિવારની રાત્રે તમારા ઘરમાંથી બહાર નીકળો અને જમીનમાં એક ખાડો કરો. ત્યારબાદ તમે તમારા દુશ્મનનું નામ લઈને સુકા પાંચ લાલ મરચાને તમારા માથા ઉપરથી ઓવારી લો અને બાદમાં તે મરચાને ખાડામાં દબાવીને માટી થી દબાવી દો. ત્યારબાદ તમે ચુપચાપ ઘરે ચાલ્યા જાઓ અને પાછળ ફરીને ના જુઓ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શત્રુનું મન બદલાય જાય છે અને બાદમાં તે તમને ક્યારેય પણ પરેશાન નહિ કરે.

દરેક શુભ કામ માં સફળતા મળે છે

જો તમે કોઈ શુભ કામ કરવા માટે જઈ રહ્યા છો અને ઈચ્છો છો કે તમને તે કામમાં નિશ્ચિત સફળતા મળે તો તમારા ઘરનાં દરવાજા પર પાંચ લાલ મરચા રાખી દો. ત્યારબાદ જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો તો તે મરચા પર પગ રાખીને બહાર નીકળવું. તમને નિશ્ચિત રૂપથી તે શુભ કામ માં સફળતા મળશે.

દર્દી થઈ જાય છે બિમારીમાંથી સારો

ઘરમાં કોઈ બિમાર છે અને સારવાર કરવા છતાં પણ સારો નથી થઈ રહ્યો તો તમે થોડા કાળા તલ, ૭ જાયફળ, ફટકડીનાં ૭ ટુકડા અને ૭ લાલ મરચા એક લાલ કપડામાં બાંધીને રાખી દો. ત્યારબાદ તે પોટલીને દર્દી પાસે રાખી દો. એક મહિનામાં ૪ વાર દર શુક્રવારે આ ઉપાય કરો. તેનાં બીજા દિવસે એટલે કે શનિવારે તે પોટલીને ઝાડની પાસે રાખીને દિવો કરો. તમને થોડા જ દિવસોમાં તેની અસર જોવા મળશે.