ડુંગળીનાં જ્યુસને પીવાથી મળે છે ઘણા બધા ફાયદાઓ, ફરી ક્યારેય નહી થાય આ બિમારીઓ

Posted by

ઘણા લોકોને જો ભોજનમાં ડુંગળી ના મળે તો તેમને ભોજનમાં સ્વાદ આવતો નથી. ક્યારેક શાકમાં ભેળવીને તો ક્યારેક સલાડનાં રૂપમાં ડુંગળીનું સેવન કરવામાં આવે છે. વળી અમુક લોકો એવા પણ છે જે ડુંગળીના સેવન બાદ મોઢામાંથી આવતી સ્મેલનાં લીધે ડુંગળીનું સેવન કરતા નથી. પરંતુ એવા લોકો ડુંગળીથી મળતા ફાયદાઓથી વંચિત રહી જતા હોય છે.

આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ડુંગળીના રસથી તમને ક્યાં ક્યાં ફાયદાઓ મળી શકે છે. જણાવી દઈએ કે ડુંગળીમાં એન્ટી-એલર્જીક, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક તત્વ રહેલા હોય છે. જે આપણને ઘણી બિમારીઓથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે. તો ચાલો જાણી લઈએ ડુંગળીના બીજા ક્યાં ક્યાં ફાયદાઓ હોય છે.

ઇમ્યુનિટી કરે સ્ટ્રોંગ

આજના સમયમાં જ્યાં કોરોના મહામારીનાં લીધે પૂરી દુનિયા પ્રભાવિત થઈ રહી છે, તેવામાં દરેક જગ્યાએ એવી સલાહ આપવામાં આવે છે કે આપણે આપણી ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ રાખવી જોઈએ. ડુંગળીનાં રસથી ઇમ્યુનિટી વધે છે. ડુંગળીની અંદર એવા તત્વ રહેલા હોય છે, જે આપણને બિમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. ઘણા ડોક્ટર એવું પણ માને છે કે ડુંગળીના નિયમિત રૂપથી સેવન કરવાથી આપણે કેન્સર જેવી મોટી બીમારીઓથી બચી શકીએ છીએ.

વાળ માટે ફાયદાકારક

ઘણા લોકોને વાળ સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ હોય છે. જેવી કે વાળ ખરવા વગેરે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે ડુંગળી ખૂબ જ કારગર સાબિત થાય છે. ડુંગળીના રસથી વાળનાં મૂળમાં સીબમની યોગ્ય માત્રા જળવાઈ રહે છે, જેનાથી આપણા વાળ મજબૂત પણ રહે છે અને તેમાં શાઇનિંગ પણ આવે છે. તેના સિવાય જ્યારે વાળ ખરી રહ્યા હોય ત્યારે પણ ડુંગળીના રસનું સેવન ફાયદાકારક હોય છે. ઘણા લોકો તો ડુંગળીનાં રસને વાળમાં લગાવવાની પણ સલાહ આપે છે. આવું કરવાથી વાળમાં નમી રહે છે અને વાળ ચમકદાર પણ થાય છે.

બ્લડ સર્ક્યુલેશનને કરે છે ઠીક

આપણા શરીરમાં યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન થવું ખૂબ જરૂરી હોય છે. જો બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે ના થઇ રહ્યું હોય તો ઘણીવાર કોઈ ભાગમાં લોહીની ખામીનાં કારણે આપણે મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેના માટે ડોક્ટર પણ સલાહ આપે છે કે આપણે નિયમિત રૂપથી પોતાની ખાણી-પીણીમાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળીના રસથી બ્લડમાં કલોટીંગ થતી નથી. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સરળતાથી થાય છે. તેના સિવાય ડુંગળીનો રસ પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક હોય છે. ઘણા લોકો હાજમા કે એસીડિટીને ઠીક કરવા માટે પણ ડુંગળીનો રસ પીવાની સલાહ આપે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

બ્લડ-પ્રેશરનું ઓછું કે વધારે હોવું સારું માનવામાં આવતું નથી. બ્લડ પ્રેશરના ઉતાર-ચઢાવના લીધે આપણે ઘણી બધી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી હોય છે. ડુંગળીનું સેવન તેમના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડુંગળીની અંદર મૈગ્નેશિયમ તત્વ રહેલું હોય છે, જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *