એક સાચા હનુમાન ભક્તમાં હોય છે આ ૫ આદતો, જાણો શું તમે તેમાં છો સામેલ

હનુમાનજીની ગણતરી એવા દેવતાઓમાં કરવામાં આવે છે જેમને સદાય અમર રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલ છે. આ જ કારણ છે કે હનુમાનજી ભક્તોની પ્રાર્થના ખૂબ જ જલ્દી સાંભળી લે છે. એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરે છે તો તેના બધા જ સંકટ ખૂબ જ જલદી દૂર થઈ જાય છે. તેવામાં દરેક વ્યક્તિ તેમના ફેવરિટ ભક્ત બનવાની કોશિશ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એક સાચા હનુમાન ભક્ત કોણ હોય છે અને તેમાં કઈ કઈ ખૂબીઓ હોય છે ?

આજે અમે તમને તેમના વિશે વિસ્તારથી જણાવીશું. જો તમે આ આદતોને અપનાવો છો તો એક સાચા હનુમાન ભક્ત બની શકો છો. આ પ્રકારનાં ભક્તોથી હનુમાનજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણી લઈએ કે તે આદતો કઈ કઈ છે.

નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ

દરેક સાચો હનુમાન ભક્ત તે ખૂબ જ સારી રીતે જાણતો હોય છે કે પ્રત્યેક શનિવાર અને મંગળવારનાં દિવસે હનુમાન ચાલીસા વાંચવાનું શું મહત્વ હોય છે. તે બજરંગબલી સુધી તમારી વાત પહોંચાડવાનું સૌથી સારું માધ્યમ હોય છે. તેનાથી હનુમાનજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે, સાથે જ નિયમિત હનુમાન ચાલીસા વાંચવાથી તમારું મન સકારાત્મક રહે છે.

સવારે અને સાંજે પૂજા

જો તમે સાચા હનુમાન ભક્ત છો તો સવારે અને સાંજે દરરોજ હનુમાનજીને હાથ જોડીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. સાથે જ તેમની સામે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અથવા તો અગરબત્તી પણ કરી શકો છો. એક સાચો ભક્ત હનુમાનજીને યાદ કરવા માટે શનિવાર કે મંગળવારની પ્રતીક્ષા કરતો નથી. પરંતુ તે તો તેમને દરરોજ સવારે અને સાંજે પોતાની સેવા આપે છે.

મહિલાઓનું સન્માન

એક હનુમાન ભક્ત ક્યારેય પણ મહિલાઓનું કોઈપણ પ્રકારનું અપમાન કરતો નથી. તેમના પર હિંસા કરવા વિશે તો વિચારી પણ શકતો નથી. તે હંમેશા પરસ્ત્રીને પોતાની બહેન કે માં સમજે છે. તેમની સાથે સારો વ્યવહાર કરે છે. હનુમાનજી સ્વયં માતા સીતાને આદર અને સન્માન આપતા હતા.

દાન-ધર્મ

એક હનુમાન ભક્ત અન્ય લોકોને દાન કરવાથી જરા પણ પાછળ હટતો નથી. પરંતુ દાનનો એવો મતલબ નથી કે તમારે ઘણા બધા રૂપિયા આપવાના છે. તમે પોતાની આર્થિક સ્થિતિના અનુસાર કંઈપણ દાન કરી શકો છો. આ દાન મંદિરમાં કે કોઈ જરૂરિયાતમંદ લોકોને કરી શકો છો. બસ દાન કરતા સમયે તમારું મન સાફ હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે તમે મન મારીને મજબૂરીમાં દાન-ધર્મ કરો. તેનો તમને કોઈપણ પ્રકારનો લાભ મળશે નહી.

અન્ય લોકોની મદદ

એક હનુમાન ભક્ત અન્ય લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. ખાસ કરીને જ્યારે કોઈ મહિલા બાળક કે વૃદ્ધ વ્યક્તિને મદદની આવશ્યકતા હોય છે. જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવી એક સાચા હનુમાન ભક્તની નિશાની હોય છે. તેના સિવાય પ્રમાણિક રહેવું, અન્ય લોકોને દગો ના આપવો અને કોઈપણ એવું ખોટું કામ ના કરવું જેનાથી અન્ય લોકોને દુઃખ પહોંચે. તે પણ એક સાચા હનુમાન ભક્તનાં ગુણ હોય છે, તેથી જો તમે પણ હનુમાનજીનાં સાચા ભક્ત બનવા માંગતા હોય તો તમારે આ ગુણો અને આદતોને અપનાવવાની કોશિશ કરવી જોઈએ.