એક સમયે ફક્ત ૩૦ રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા દેવ આનંદ, રેલવે સ્ટેશન પર પસાર કરી હતી રાતો, બાદમાં આ રીતે બન્યા સુપરસ્ટાર

Posted by

બોલીવુડના દિગ્ગજ અભિનેતા રહી ચૂકેલા દેવ આનંદનું નામ હિન્દી સિનેમામાં સન્માનની સાથે લેવામાં આવે છે. આજે દેવ આનંદ આપણી વચ્ચે તો નથી પરંતુ તે પોતાની ફિલ્મો, કિસ્સાઓ અને જિંદાદિલીના જોર પર તેમને યાદ કરવામાં આવે છે. ચાલો આજે તમને મશહૂર અભિનેતા દેવ આનંદની અમુક ખાસ વાતોથી પરિચિત કરાવી દઈએ.

આજે આ લેખમાં અમે તમને તેમની સાથે જોડાયેલ અમુક મશહૂર કિસ્સાઓ જણાવીશું. તમને જણાવી દઈએ કે આખરે શા માટે તેમના કાળા કોટ પહેરવા પર રોક લગાવી દેવામાં આવી હતી, દેવ આનંદ એ કોની સાથે લગ્ન કર્યા હતા, ફિલ્મમાં આવતા પહેલા દેવ આનંદની સ્થિતિ શું હતી, તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શું આપ્યું છે, તેમને કેટલા એવોર્ડ મળ્યા અને આખરે જે દેવ આનંદ પર લાખો યુવતીઓ ફિદા હતી તે કોના પર દિલ હારી બેઠા હતા વગેરે વાતોનાં વિશે. તો ચાલો એક-એક કરીને તે વાતોના વિષે જાણી લઈએ.

ક્યારે અને ક્યાં થયો જન્મ

દિગ્ગજ અભિનેતા રહી ચૂકેલા દેવ આનંદનો જન્મ વર્ષ ૧૯૨૩માં ૨૬ ડિસેમ્બરનાં રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. જણાવી દઈએ કે નાની ઉંમરથી જ તેમને એક્ટિંગ સાથે પ્રેમ થઈ ગયો હતો અને મોટા થઈને તે આ જ ફિલ્ડમાં કરિયર બનાવવાનું સપનું જોવા લાગ્યા હતા. પંજાબમાં જન્મેલા દેવ આનંદનો અભ્યાસ લાહોરમાં પૂરો થયો અને તેમના પિતા વકીલ હતા. પૈસાનાં લીધે તે પોતાની ઈચ્છા અનુસાર પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નહી. ત્યારબાદ તે બોલિવૂડ તરફ વળી ગયા.

૧૯૪૬માં હમ એક હૈ ફિલ્મથી કર્યું ડેબ્યૂ

૨૩ વર્ષની ઉંમરમાં દેવ આનંદ એ હિન્દી સિનેમામાં પોતાના પગલાં પાડ્યા હતા. વર્ષ ૧૯૪૬માં તેમના કરિયરમાં તે વળાંક આવ્યો જ્યારે તેમની પહેલી બોલીવુડ ફિલ્મ આવી. આ ફિલ્મનું નામ હતું “હમ એક હૈ”. તે પ્યારેલાલ સંતોષીની ફિલ્મ હતી. ત્યારના ૨ વર્ષ પછી શહીદ લતીફની ફિલ્મ “જિદ્દી” માં તે લીડ એક્ટરનાં રૂપમાં જોવા મળ્યા. આ ફિલ્મના ગીતો ખૂબ જ હિટ રહ્યા હતા.

મુંબઈ આવ્યા ત્યારે ખિસ્સામાં હતા ફક્ત ૩૦ રૂપિયા

શરૂઆતથી જ દેવ આનંદને પૈસાની તંગીનો સામનો કરવો પડયો હતો અને તેના લીધે જ તે પોતાનો અભ્યાસ પણ પૂરો કરી શક્યા નહી. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે જ્યારે માયાનગરી મુંબઈ આવ્યા હતા તો તેમના ખીસ્સામાં ફક્ત ૩૦ રૂપિયા હતા, તેવામાં તેમના માટે આગળનો રસ્તો વધારે મુશ્કેલ થઈ ગયો હતો. તે રેલવે સ્ટેશન પર રાત પસાર કરતાં હતાં, જ્યારે ભોજનની સગવડ પણ મુશ્કેલીથી કરતા હતા. મુંબઈ આવ્યા બાદ આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે દેવ આનંદે કોઈ કામ કરવાનો નિર્ણય કર્યો અને ઘણા પ્રયત્નો બાદ દેવ આનંદ મિલિટ્રી સેન્સર ઓફિસમાં લીપિકની નોકરી કરવા લાગ્યા. અહીંયા તેમનું કામ એ હતું કે તે સૈનિકોની ચિઠ્ઠીઓને તેમના પરિવારના લોકોને વાંચીને સંભળાવતા હતા.

ઘણી હિટ ફિલ્મોમાં કર્યું કામ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદ એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક થી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. બોલિવૂડમાં તેમનું કાર્ય ખૂબ જ સફળ રહ્યું છે અને પોતાના કરિયરમાં તેમણે ૧૦૦થી વધારે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આમ તો તેમના ખાતામાં ઘણી હિટ ફિલ્મો આવી છે પરંતુ જે ફિલ્મોને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો તેમાં ગાઈડ, હરે કૃષ્ણ હરે રામા, દેશ-પરદેશ, જ્વેલ થીફ અને જહોની મેરા નામ જેવી મહત્વની ફિલ્મો સામેલ છે.

નિર્દેશનમાં પણ અજમાવ્યો હાથ

એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે-સાથે દેવ આનંદને નિર્દેશકના રૂપમાં પણ ઓળખવામાં આવ્યા. બોલિવૂડમાં પોતાને સંપૂર્ણ રીતે સ્થાપિત કર્યા બાદ વર્ષ ૧૯૫૦માં દેવ આનંદ એ પોતાની પહેલી ફિલ્મ “અફસર” નું નિર્માણ કર્યું. ત્યારબાદ તેમણે પોતાના મોટાભાઇ ચેતન આનંદને આ મોટી જવાબદારી આપી દીધી. ત્યાર પછીના વર્ષ ૧૯૫૧માં તેમના બેનર હેઠળ બનેલી ફિલ્મ “બાજિ” આવી. તેમના નિર્દેશક હતા ગુરુદત્ત. આ ફિલ્મ એ દેવ આનંદને એક મોટા અભિનેતાનો દરજ્જો આપી દીધો.

ઘણા એવોર્ડ્સ કર્યા છે પોતાના નામે

હિન્દી સિનેમામાં દેવ આનંદના યોગદાનને જોતાં તેમને ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડસ્ થી પણ નવાજવામાં આવ્યા છે. દેવ સાહેબને વર્ષ ૧૯૯૧માં ફિલ્મફેર લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, વળી ત્યાર બાદ ૨૦૦૧માં તેમને પદ્મભૂષણ આપવામાં આવ્યું. જ્યારે ૨૦૦૨માં તેમને હિન્દી સિનેમાના સૌથી મોટા “દાદા સાહેબ ફાળકે” પુરસ્કારથી નવાજવામાં આવ્યા.

આ એક્ટ્રેસ સાથે થયો પ્રેમ, પરંતુ નાની એ કરી દીધી મનાઇ

બોલિવૂડમાં કોઇપણ કલાકારને પ્રેમ થવો તે સામાન્ય વાત છે અને દેવ આનંદને પણ પ્રેમ થઈ ગયો હતો. દેવ આનંદના જમાનાની અદાકાર સુરૈયા અને દેવ આનંદ બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. જણાવવામાં આવે છે કે દેવ આનંદ પોતાની ફિલ્મ “અફસર” નાં નિર્માણ દરમિયાન અભિનેત્રી સુરૈયાને પસંદ કરવા લાગ્યા હતા. આ ફિલ્મના ગીતની શૂટિંગ થઇ રહી હતી અને દેવ આનંદ અને સુરૈયાની હોડી પાણીમાં ડૂબી ગઈ હતી, તેવામાં દેવ આનંદ એ સુરૈયાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ સુરૈયા પણ દેવ આનંદના પ્રેમમાં પડી ગઈ હતી, પરંતુ તેમની નાની ના મનાઈનાં લીધે બંને પોતાના પ્રેમને મેળવી શક્યા નહી.

નિર્માતાના રૂપમાં પણ બનાવી ઓળખ

દેવ આનંદે પોતાના સમયની મશહૂર એક્ટ્રેસ રહી ચૂકેલી કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યા હતા. બંને કલાકારોએ વર્ષ ૧૯૫૪માં લગ્ન કરી લીધા હતા. વળી તમને જણાવી દઈએ કે અભિનેતા અને નિર્દેશક હોવાની સાથે સાથે જ દેવ આનંદને એક સારા નિર્માતાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. નિર્માતાના રૂપમાં તેમણે ફિલ્મ “અફસર” સિવાય હમસફર, ટેક્સી ડ્રાઇવર, હાઉસ નંબર-૪૪, ફંન્ટુસ, કાલાપાની, કાલા બાઝાર, હમ દોનો, તેરે મેરે સપને, ગાઈડ અને જ્વેલ થીફ વગેરે ફિલ્મો બનાવી છે.

કોર્ટ પહેરવા પર લગાવી દીધું બૈન

આ કિસ્સાથી તમે દેવ સાહેબના સ્ટારડમને ખૂબ જ સારી રીતે સમજી શકશો. તેમના કાળા કોટની યુવતીઓ દિવાની હતી. તેમની ગરદન ઝુકાવવાની આકર્ષક શૈલી, કાળા પેન્ટ-શર્ટનો તેમનો અલગ અંદાજ યુવતીઓના દિલો પર રાજ કરતો હતો. અભિનેતાને આ અવતારમાં જોઈને યુવતીઓ પાગલ થઈ જતી હતી. દેવ સાહેબથી પ્રભાવિત થઈને તે દિવસોમાં સફેદ શર્ટ પર કાળો કોટ પહેરવાની સ્ટાઈલ ખૂબ જ ટ્રેન્ડમાં હતી. પરંતુ આગળ જઈને સાર્વજનિક જગ્યાઓ પર કાળો કોટ પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.

દેવ સાહેબનો સ્ટારડમ ભલે થોડા વર્ષો સુધી જ રહ્યો પરંતુ તેમણે ગજબની સફળતા મેળવી હતી. આજે પણ તેમના કિસ્સાઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મશહૂર છે. ઘણી યુવતીઓ તો દેવ સાહેબનાં પ્રેમમાં તે હદ સુધી પાગલ થઈ ગઈ હતી કે તેમણે પોતાનો જીવ પણ દેવ સાહેબ માટે કુરબાન કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *