ફિલ્મ આદિપુરુષમાં સીતા બની શકે છે અનુષ્કા શર્મા, હાલમાં જ કરી છે પ્રેગ્નેન્સીની ઘોષણા

વિરાટ કોહલીએ હાલમાં જ ઘોષણા કરી હતી કે અનુષ્કા શર્મા માં બનવાની છે. હાલના દિવસોમાં અનુષ્કા પોતાની પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે. તેની વચ્ચે અનુષ્કાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. અનુષ્કા પ્રભાસની સાથે ફિલ્મ આદિપુરુષ માં જોવા મળી શકે છે. તેમાં તે સીતાના રોલમાં નજર આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના મેકર્સને તેમની સીતા મળી ગઈ છે. સીતાના રોલ માટે તેમણે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના નામને ફાઇનલ કરી દીધું છે. ખૂબ જ જલ્દી એ વાતનો પણ ખુલાસો થઈ જશે કે અનુષ્કાની તરફથી શું નિર્ણય લેવામાં આવ્યો છે.

આગલા વર્ષે એટલે કે ૨૦૨૧ માં અનુષ્કા શર્મા માં બની જશે. હાલમાં જ વિરાટ કોહલીએ એક ફોટો શેર કરતા અનુષ્કાની પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી. અનુષ્કાના માં બનવાના સમાચાર મળ્યા બાદ તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. ફેન્સથી લઈને બોલીવુડ જગતની મોટી મોટી હસ્તીઓએ આ કપલની શુભકામનાઓ આપી હતી. વાત કરીએ અનુષ્કાના ફિલ્મોની વિશે તો છેલ્લે તે શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ઝીરો માં મળી હતી. આ ફિલ્મને આનંદ એલ રાયે બનાવી હતી. જે વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે શૂટિંગ

જાણવા મળે છે કે આદિપુરુષ જાન્યુઆરીમાં ફ્લોર પર જઈ શકે છે. અનુષ્કાના ભાગની શૂટિંગ બાદમાં કરવામાં આવશે. ત્યાં સુધી રામ અને રાવણના દ્રશ્ય શૂટ કરી લેવામાં આવશે. બાહુબલી ફિલ્મ પ્રભાસ આ ફિલ્મમાં નજર આવશે. આ કારણથી તે ઘણા દિવસથી સતત ચર્ચામાં બનેલ છે. જણાવી દઈએ કે આદિપુરુષ એક મેગા બજેટ ફિલ્મ હશે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામનું પાત્ર નિભાવી રહ્યા છે. પાછલા દિવસોમાં મેકર્સે ફિલ્મ રાવણના રોલને લઈને ખુલાસો કર્યો હતો. આ ફિલ્મમાં રાવણનો રોલ નિભાવવા માટે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને એપ્રોચ કરવામાં આવ્યા છે.

સેફ અલી ખાન બનશે રાવણ

ખરેખર ફિલ્મ તાન્હાજી માં સેફ અલી ખાન નેગેટિવ રોલમાં નજર આવ્યા હતા અને દર્શકોને તેમનો આ અવતાર ખૂબ જ પસંદ આવ્યો હતો. તેવામાં મેકર્સ એ નિર્ણય કર્યો છે કે લંકેશના પાત્રો માટે સૈફ અલી ખાન યોગ્ય રહેશે. જ્યારે સૈફ અલી ખાન પણ આ રોલ માટે રાજી થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ પ્રભાસે ફિલ્મ આદિપુરુષનો પહેલો લુક શેર કર્યો હતો. આ ફિલ્મના પોસ્ટને શેર કરતા લખ્યું હતું કે, “બુરાઈ પર અચ્છાઇ કી જીત કા જશ્ન”.

આ ભાષાઓમાં થશે રીલીઝ

જણાવી દઈએ કે તે એક એક્શન ફિલ્મ હશે. જેની શોપિંગ ૨૦૨૧ના શરૂઆતથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની હિન્દી સિવાય તેલુગુમાં પણ શૂટ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨ માં તેને ડબ કરીને મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. બાહુબલીની અપાર સફળતા બાદ ફેન્સ આ મેગા બજેટ મુવીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પણ બ્લોક બસ્ટર સાબિત થઈ શકે છે. વળી અનુષ્કાના ફેન્સ એ તેમને ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોઈ નથી તો તેવામાં તે મોટા પડદા પર અનુષ્કાની પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.