ગણેશજીનાં આ ૩ મંત્રોનો જો ૧૧ દિવસ જાપ કરવામાં આવે તો વિઘ્નહર્તા દુર કરી દેશે જીવનનાં તમામ પ્રકારનાં કષ્ટ

Posted by

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે ગણેશ ભગવાનની સાચા દિલથી પુજા-અર્ચના કરવામાં આવે છે તો તેઓ ભક્તોનાં બધા જ સંકટ દુર કરી દે છે એટલું જ નહીં તે ભક્તોની તમામ મનોકામનાઓ પણ પુરી કરે છે. હિન્દુ ધર્મનાં શાસ્ત્રો પ્રમાણે કોઈપણ શુભ કામ કરતાં પહેલા કે બાદમાં માંગલિક કાર્યની શરૂઆત ગણેશજીની પુજા સાથે જ કરવામાં આવે છે.

ગણેશજીની પુજા કરવાથી કોઈપણ કામમાં વિઘ્ન આવતું નથી. તમારા બધા જ કામ અટક્યા વગર પુર્ણ થઈ જાય છે. એવું પણ કહેવામાં આવે છે કે બુધવારનાં દિવસે ગણેશજીની પુજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પુર્ણ કરે છે. આ દિવસે માત્ર પુજાપાઠ જ નહિ પરંતુ મંત્ર જાપથી પણ ગણપતિજીને પ્રસન્ન કરી શકાય છે. આ મંત્રનાં જાપ બુધવારનાં દિવસે કરવા વધારે ફળદાયી હોય છે. તો ચાલો જાણી લઈએ તે મંત્રો વિશે.

તાંત્રિક ગણેશ મંત્ર

ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।
ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।

જ્યોતિષશાસ્ત્રમાં તેનાં વિશે જણાવવામાં આવ્યુ છે કે બુધવારે સવારે ભગવાન શિવજી, માતા પાર્વતીજી અને શ્રી ગણેશજીની પુજા બાદ આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવાથી વ્યક્તિનાં જીવનમાં રહેલા તમામ દુઃખ સમાપ્ત થઈ જાય છે. આ મંત્રને બોલતા સમયે વ્યક્તિ એ સંપુર્ણ સાત્વિકતા રાખવી જોઈએ. સાથે જ વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે તે માંસ, મદિરા અને ક્રોધથી દુર રહેવું. આ દિવસે ભોજનમાં કાંદા અને લસણ વગેરેને પણ દુર રાખો. વ્યક્તિને ધન-ધાન્ય, સંપત્તિ, સમૃદ્ધિ, ખુશી, વૈભવ, પરાક્રમ, વિદ્યા અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

ગણેશ ગાયત્રી મંત્ર

एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

દર બુધવારનાં દિવસે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પુરી થાય છે. શ્રી ગણેશજીનાં આ મંત્રનો જાપ પણ ૧૦૮ વાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંત્રનાં જાપથી ગણપતિજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની હંમેશા કૃપા રહે છે. જો ૧૧ દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિનો ભાગ્યોદય થાય છે એટલું જ નહીં તેના જાપ થી પુર્વ પાપોનાં ફળ પણ સમાપ્ત થઈ જાય છે.

ગણેશ કુબેર મંત્ર

नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

વળી જો બુધવારનાં દિવસે વ્યક્તિ ગણેશ કુબેર મંત્રનો જાપ કરે છે તો તેનાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. આ મંત્રનાં નિયમિત જાપથી વ્યક્તિને કરજમાંથી મુક્તિ મળે છે અને ધનનાં નવા સ્ત્રોત પણ બને છે. જીવનમાં આનંદનું આગમન થવા લાગે છે.