ઘણા પ્રયત્નો બાદ લગ્ન માટે માની હતી ઐશ્વર્યા રાય, આવી રીતે શરુ થઇ હતી અભિષેકની સાથે લવ સ્ટોરી, દરેક કપલ માટે પ્રેરણારૂપ

દરેક લોકોના જીવનમાં પ્રેમનું અલગ મહત્વ હોય છે અને બધા જ માટે પ્રેમનો અનુભવ પણ અલગ-અલગ હોય છે. તેથી દરેક વ્યક્તિ પોતાના હિસાબથી પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરે છે, જેમની સાથે તેમને સંપૂર્ણ જીવન પસાર કરવાનું હોય છે. તેના સિવાય અમુક લોકો એવા હોય છે, જેમને રસ્તા પર ચાલતા લોકો સાથે પ્રેમ થઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે આમની સાથે જ જીવનભરનો સાથ નિભાવવો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની સાથે પણ કંઈક આવું જ થયું હતું.

ઐશ્વર્યા રાય વિશ્વ સુંદરીનો ખિતાબ જીતી ચૂકી છે અને તેમની સુંદરતાની પાછળ આજે પણ લોકો પાગલ છે. વળી તેમના પતિ અભિષેક બચ્ચનની વાત કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં તેમણે પણ પોતાની એક અલગ છાપ છોડી છે. જો કે ફિલ્મી પડદા પર તે ઐશ્વર્યા રાયની તુલનામાં થોડા ઓછા સફળ થયા છે. જો કે બંનેની પર્સનલ લાઇફ સુપરહિટ છે અને તે બોલિવૂડના સૌથી સુંદર કપલની લિસ્ટમાં સામેલ થાય છે. તો આજે અમે તમને અભિષેક અને ઐશ્વર્યાની લવ સ્ટોરીના વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે એકદમ ફિલ્મી છે.

અભિષેક અને ઐશ્વર્યાની લવ સ્ટોરી વિશે જણાવીએ તે પહેલા તમને જણાવી દઈએ કે આ કપલએ ૨૦ એપ્રિલ ૨૦૦૭નાં રોજ લગ્ન કર્યા હતાં. લગ્નના ૪ વર્ષ પછી ઐશ્વર્યાએ એક દિકરીને જન્મ આપ્યો, જેનું નામ આરાધ્યા છે. ઐશ્વર્યા અને અભિષેકની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. સાથે જ તેમની દિકરી આરાધ્યા પણ પુરી લાઈમલાઈટ લૂંટતી નજર આવે છે. ઐશ્વર્યા પોતાની દિકરી આરાધ્યાની સાથે ઘણી તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી નજર આવે છે. વર્ષ ૨૦૦૭માં અભિષેક અને ઐશ્વર્યાનાં લગ્ન બાદ વર્ષ ૨૦૧૧માં આરાધ્યાનો જન્મ થયો હતો અને ત્યારબાદ આરાધ્યની સાર-સંભાળ રાખવા માટે ઐશ્વર્યા ફિલ્મોથી દૂર થઇ ગઇ હતી. જોકે થોડા સમય બાદ ઐશ્વર્યા ફિલ્મો અને વેબસીરીઝમાં પરત ફરી હતી.

આવી રીતે થઈ હતી ઐશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાત

ઐશ્વર્યા-અભિષેકની જોડી બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં સૌથી ફેમસ કપલમાં એક છે. આ કપલને ફેન્સ પણ ખૂબ જ પ્રેમ કરે છે. વળી ઐશ્વર્યા-અભિષેક પણ પોતાના ફેન્સનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને ઘણીવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. જોકે બંનેની લવ સ્ટોરીની વાત કરવામાં આવે તો તે કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. પહેલા બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તેમના વિશે તેમને પણ જાણ થઈ શકી નહી. ફિલ્મ “ઢાઈ અક્ષર પ્રેમ કે” ના શૂટિંગ સેટ પર બન્નેની પહેલી મુલાકાત થઇ હતી.

જો કે આ પહેલા પણ બન્નેની મુલાકાત ફિલ્મ “પ્યાર હો ગયા” નાં સેટ પર થઈ હતી. જોકે તે સમયે ઐશ્વર્યા બોબી દેઓલની સાથે કામ કરી રહી હતી. ફિલ્મ “ઢાઈ અક્ષર પ્રેમ કે” બાદ અભિષેક-ઐશ્વર્યાની મુલાકાત ફિલ્મ “કુછ ના કહો ના” સેટ પર થઈ હતી અને આ દરમિયાન બંનેમાં ખૂબ જ સારી મિત્રતા થઈ ગઈ હતી. તે દિવસોમાં અભિષેક અને કરિશ્મા કપૂર રિલેશનશિપમાં હતાં અને બંનેની સગાઇ પણ થઇ ચૂકી હતી પરંતુ તે સગાઈ તૂટી ગઈ અને ત્યારબાદ અભિષેક ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા. બીજી તરફ ઐશ્વર્યા અને સલમાન ખાનના પ્રેમની ચર્ચાઓ તે દિવસોમાં બોલીવુડ ગલીઓમાં ખૂબ જ મશહૂર હતી. પરંતુ ઐશ્વર્યા અને સલમાનનું પણ ખૂબ જ જલ્દી બ્રેકઅપ થઈ ગયું.

માનવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના આક્રમક વ્યવહારના કારણે ઐશ્વર્યાએ બ્રેકઅપ કરી લીધું હતું. ત્યારબાદ ઐશ્વર્યા અને વિવેક ઓબરોયનાં રીલેશનશીપની ચર્ચાઓ થવા લાગી હતી. જોકે તે સંબંધ પણ લાંબો ચાલી શક્યો નહી. તે કહેવું ખોટું નથી કે સલમાન અને ઐશ્વર્યા બંનેના લવ લાઇફના એક્સપિરિયન્સ સારા રહ્યા નથી. અભિષેક અને ઐશ્વર્યાની મુલાકાત અમુક ફિલ્મોના શૂટિંગ સેટ પર થઈ હતી પરંતુ બન્નેની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા ડેવલોપ થઈ ગઈ હતી. જોકે બંનેએ બંટી ઔર બબલીમાં ફરી એકવાર સાથે કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટસનું માનવામાં આવે તો ફિલ્મ “બંટી બબલી” ના શૂટિંગ દરમિયાન જ બંનેના દિલમાં એકબીજા માટે ફીલિંગ્સ આવી ગઈ હતી. ત્યારબાદ જાન, ગુરુ અને ધુમ-૨ ના શૂટિંગ દરમિયાન બંનેના સંબંધો સતત મજબૂત થતા ગયા.

અભિષેક બચ્ચને ઐશ્વર્યાને આવી રીતે કર્યું હતું પ્રપોઝ

અભિષેક એ અભિનેત્રી ઐશ્વર્યા રાયને એકદમ ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતું અને તે વાતનો ખુલાસો એક્ટ્રેસ એ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈ હોલીવુડ હીરોની જેમ અભિષેક એ મને પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યા રાયે જણાવ્યું કે એક ફિલ્મના શૂટિંગ માટે અમે ન્યુયોર્ક ગયા હતા અને તે દરમિયાન એક હોટલની બાલ્કનીમાં અભિષેક અને હું એક સાથે ઉભા હતા ત્યારે અભિષેક એ તક અને ઐશ્વર્યાનો મૂડ જોઈને ઘૂંટણિયે બેસીને મને પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યાએ આગળ જણાવ્યું કે અભિષેકનો રોમેન્ટિક અંદાજ જોઈને હું ખુશીથી પાગલ થઈ ગઈ હતી અને મે તરત જ તેમનું પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધું હતું ત્યારથી જ અમે બંનેએ એકસાથે જીવન પસાર કરવાનો નિર્ણય કર્યો હતો.

ફિલ્મ જોધા અકબર દરમિયાન ઐશ્વર્યાને થઈ હતી આ ફીલિંગ

ઐશ્વર્યા જણાવે છે કે જ્યારે તે ફિલ્મ જોધા અકબરની શૂટિંગ કરી રહી હતી તો તેમને તે અહેસાસ થયો હતો કે તે અભિષેકને કેટલો પ્રેમ કરે છે. આ ફિલ્મની એક ઘટનાનો ઉલ્લેખ કરતા તે જણાવે છે કે જ્યારે હું ફિલ્મમાં લગ્નનો સીન શૂટ કરી રહી હતી તો તે સમયે હું ફક્ત અભિષેકના જ વિચારોમાં હતી. તેમણે જણાવ્યું કે મને યાદ છે કે જ્યારે ફિલ્મ “જોધા અકબર” માં ખ્વાજા મેરે ખ્વાજાની શૂટિંગ ચાલી રહી હતી તો હું એક દુલ્હનના રૂપમાં બેઠી હતી અને તે સમયે મને લાગ્યું કે મારી સાથે તે બધું જ હકીકતમાં થઈ રહ્યું છે. તે બધું ખૂબ જ અજીબ હતું અને તે સમયે આશુતોષએ મને કહ્યું કે તમે કોઈ વિચારોમાં છો તો આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ હતી.

વર્ષ ૨૦૦૭માં થયા ઐશ્વર્યા-અભિષેકનાં લગ્ન

વર્ષ ૨૦૦૭માં બંનેએ એકબીજા સાથે સાત ફેરા ફર્યા હતાં. આ લગ્નની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમપૂર્વક થયા હતાં. જોકે આ સમારોહમાં બંને પરિવારોના ફેમિલી મેમ્બર્સ જ હાજર હતાં. તેમના લગ્નને ૧૩ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી બંનેની વચ્ચે ક્યારેય પણ મતભેદના સમાચારો સામે આવ્યા નથી. આ કપલ પોતાના લગ્નજીવનથી ખૂબ જ ખુશ છે.

ઐશ્વર્યાએ લગ્નમાં પહેરી હતી ખૂબ જ કીમતી સાડી

જણાવી દઈએ કે લગ્ન દરમિયાન ઐશ્વર્યાએ મશહૂર ફેશન ડિઝાઈનર નીતા લુલ્લાની ડિઝાઇન કરવામાં આવેલી કાંજીવરમ સાડી પહેરી હતી. જેમાં ઐશ્વર્યા કોઈ પરી જેવી લાગી રહી હતી. તે સમયે આ સાડીની કિંમત જાણીને બધા જ આશ્ચર્યમાં પડી ગયા હતાં. હકીકતમાં તેની કિંમત ૭૫ લાખ રૂપિયા હતી. આ સાડીની ખાસ વાત એ હતી કે તેમની બોર્ડરમાં સોનું જડેલું હતું. આ સાડીની ચર્ચાઓ તેમના લગ્નના ઘણા દિવસો પછી પણ શરૂ રહી હતી.

ઐશ્વર્યાએ બદલી નાખ્યું કીમતી મંગલસૂત્ર

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનએ ઐશ્વર્યા રાયની લગ્ન દરમિયાન હીરાના ૨ લેયર્ડ મંગળસૂત્ર પહેરાવ્યા હતાં, જેની કિંમત લગભગ ૪૫ લાખ રૂપિયા હતી. લગ્ન બાદ જ્યારે એશ-અભિ તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા તો તે સમયે લોકોની નજર ઐશ્વર્યાના મંગળસૂત્ર પર પડી અને તેની ખૂબ જ ચર્ચા થઈ હતી. જોકે ત્યારબાદ ઐશ્વર્યાએ અભિષેકએ આપેલ મંગળસૂત્ર બદલી નાખ્યું હતું. હકીકતમાં આરાધ્યાના જન્મ બાદ એક્ટ્રેસ કોઈપણ ભારે જ્વેલરી પહેરવા માંગતી ના હતી અને આ જ કારણ હતું કે બે લેયર્ડ મંગળસૂત્ર ઐશ્વર્યાએ બદલી નાખ્યા હતા.

ઐશ્વર્યા અને અભિષેક આજે પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે એટલું જ નહી પરંતુ બંને એકબીજાની ખૂબ જ સપોર્ટ પણ કરે છે અને સોશિયલ મીડિયા પર ઘણીવાર તેમના ફોટોઝ શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી. એશ-અભિષેકની સાથે તેમની દિકરી આરાધ્યાની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. વળી ફેન્સ પણ તેમને ખૂબ જ પ્રેમ પણ આપે છે. જણાવી દઈએ કે અભિષેક હાલના દિવસોમાં પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. વળી ઐશ્વર્યા પોતાની દિકરી આરાધ્યાનો ખૂબ જ ખ્યાલ રાખે છે.