ઘરમાં ચુપચાપ આ જગ્યાએ છુપાવી દો ૨ લવિંગ, બાદમાં માતા લક્ષ્મીનો સાક્ષાત ચમત્કાર જોવા મળશે

Posted by

આજનાં સમયમાં દરેક લોકો પોતાના જીવનમાં ખુશ રહેવા માંગે છે અને આ સમયમાં ખુશ રહેવા માટે સૌથી વધારે જરૂરી છે પૈસા. અમુક લોકો એવા હોય છે, જે મહેનતથી પૈસા તો ઘણા બધા કમાય લે છે પરંતુ પૈસા તેના હાથમાં નથી ટકી શકતા કે પછી અમુક લોકો એવા પણ હોય છે, જે ખુબ જ મહેનત કરે છે અને એટલા પૈસા કમાઇ નથી શકતા કે તે પોતાના પરિવારને સુખી તથા સ્વસ્થ રાખી શકે. અમુક લોકોનાં મનમાં એવું પણ હોય છે કે તે મહેનત કર્યા વગર જ પૈસા કમાય લે. પરંતુ તમને જણાવી દઈએ કે એવું શક્ય નથી કારણ કે એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી કર્મ નહિ કરો ત્યાં સુધી ફળ નહી મળે.

આજનાં સમયમાં દરેક લોકો ખુબ જ અમીર બનવા માંગે છે, જે લોકો દિવસ-રાત તનતોડ મહેનત કરે છે પરંતુ તેમ છતાં પણ તેને સફળતા નથી મળતી તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારું નસીબ એકદમથી ચમકી જશે. અમુક એવી વસ્તુઓ છે, જેનો ઉપાય કરવાથી તમને તમારા જીવનમાં ચમત્કારીક પ્રભાવ જોવા મળી જશે. આજે અમે તમારા માટે અમુક એવા ધાર્મિક ઉપાયો લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી દરેક મનોકામનાઓ પુરી થઈ શકો છો.

તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમીર બનવાનો એક ઉપાય. આ ઉપાયમાં તમારે વધારે કંઈ નથી કરવાનું. બસ એક લવિંગનો ઉપયોગ કરવાનો છે. આ ઉપાય તે લોકો માટે પણ છે, જે લોકો નોકરી કે પ્રમોશન ના મળવાનાં કારણે પરેશાન છે કે પછી બિઝનેસમાં થઈ રહેલા નુકસાનનાં કારણે અથવા તો પછી પૈસાની બચત ના થવાનાં કારણે પરેશાન છે તો આ ઉપાય જરૂર કરો. જણાવી દઈએ કે સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ ઉપાય સૌથી સરળ તથા અચુક છે. જે વ્યક્તિ આ ઉપાય શ્રધ્ધા સાથે કરશે, તેને હકિકતમાં આ ઉપાયનો ફાયદો જરૂર મળશે.

એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય કરતા પહેલા તમારે કોઈને તેના વિશે ના કહેવું. એટલું જ નહીં જો પત્નિ આ ઉપાય કરી રહી છે તો પતિ ને ના કહેવું અને પતિ કરી રહ્યો છે તો પત્નિને ના કહેવું. સૌથી પહેલા એક લવિંગ અને લાલ કપડુ લો. તે લાલ કપડા પર લવિંગને બાંધી દો અને તિજોરીમાં રાખી દો. ત્યારબાદ ત્યાં દિવો પ્રગટાવીને આરતી કરો કે પછી અગરબત્તીથી પુજા કરી શકો છો. આ કાર્યને કરતા સમયે તમારે તમારા મનમાં માતા લક્ષ્મીનું નામ લેવાનું છે. ત્યારબાદ તમે જોશો કે તમારી ધન સંબંધિત બધી જ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને તમારી તિજોરી પણ પૈસાથી ભરાવાની શરૂ થઈ જશે.

જો તમે તમારી આર્થિક તંગી સંબંધિત પરેશાનીઓને દુર કરવા માંગો છો તો તમે સવારે અને સાંજે બે કપુર લઈને કોઈ વસ્તુમાં તેને પ્રગટાવો અને બાદમાં તેમાં એક જોડી લવિંગ અર્પિત કરી દો. કપુર અને લવિંગ પ્રગટાવતી વખતે જે ધુમાડો ઉત્પન્ન થાય છે, તમે તેની આરતી અવશ્ય કરો. જો તમે આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમને પિતૃદોષમાંથી છુટકારો મેળવવાની સાથે-સાથે તમને ધન ની પણ પ્રાપ્તિ થશે. સાથે જ આવનારા દિવસોમાં તમને તેની અસર પણ જોવા મળશે.

જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારનાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે ઉપાયોને કરવાથી તેનો પ્રભાવ જલ્દી પ્રાપ્ત થાય છે. તમારી સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય, તમે લવિંગના આ ઉપાયને કોઈ ખાસ દિવસને છોડીને કોઈપણ દિવસે કરી શકો છો. સવારનાં સમયે પુજા કરતા સમયે આરતી માટે દિવામાં બે લવિંગ કે કપુરમાં બે ફુલ નાખીને આરતી કરવાથી તમારા બધા જ કાર્ય સરળતાથી પુરા થશે.

જો તમારે ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો પાંચ કાળા મરચા લો. ત્યારબાદ તમે તેને તમારા માથા પરથી ૭ વાર ઓવારીને તેને કોઈ ચાર રસ્તા પર કે સુમસાન સ્થાન પર ચાર દિશામાં ચાર દાણા ફેંકી દો. ત્યારબાદ પાંચમા દાણાને આકાશની તરફ ફેંકી દો. ત્યારબાદ જ્યારે તમે તમારા ઘરે પાછા ફરી રહ્યા હોવ તો તમારે પાછળ ફરી નથી જોવાનું. જો તમે પાછળ ફરીને જોયું તો તેની અસર સમાપ્ત થઈ જશે. આવું કરતા જ તમારું નસીબ એકદમથી ચમકવા લાગશે.