જાણો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? વજન ઓછું કરવામાં પણ મળશે મદદ

જ્યારે તમે ઘરે જમવા બેસો છો તો તમારી માં તમને એક-બે રોટલી વધારે જ ખાવા માટે આપે છે. એટલા માટે કારણ કે ભારતીય ભોજન રોટલી વગર અધૂરું છે અને આ રોટલીમાં ખૂબ જ તાકાત હોય છે. રોટલીનો સ્વાદ એટલો સારો હોય છે કે શાક વગર પણ તેને આપણી ખાઈ શકીએ છીએ. જો નાના બાળકો શાક નથી ખાતો તેમને દૂધ-રોટલી અથવા દહી-રોટલી પીરસવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની ભૂખ અને ક્ષમતાનાં હિસાબે રોટલી ખાય છે. અમુક લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં સૌથી પહેલાં રોટલી ઓછી કરી દે છે. તેવામાં તમારે જાણવું જરૂરી છે કે જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે કેટલી રોટલી ખાવી જોઈએ.

કેટલી રોટલી ખાવી

લગભગ દરેક ભારતીય ઘરમાં ઘઉંના લોટની રોટલી બનાવવામાં આવે છે. જેમાં ભારે માત્રામાં મૈક્રો-ન્યુટ્રિએંટ હોય છે. સાથે સાથે તેમાં પ્રોટીન અને ફાઇબર પણ ખૂબ જ સારી માત્રામાં હોય છે. તેમાં જ્યારે તમે રોટલી ખાઓ છો તો તેનું પાચન યોગ્ય રહે છે, પરંતુ તમે ૬ ઇંચની એક રોટલી ખાઓ છો, તો તે તમારા શરીરમાં અંદાજે ૧૫ ગ્રામ કાર્બ્સ, ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ફાઇબર મળે છે.

શરીરનું વજન ઘટાડવા માટે તે જાણવું જરૂરી છે કે તમારા શરીરમાં કેટલાક કાર્બ્સ ની જરૂરિયાત છે. તેવામાં તે હિસાબથી રોટલી ખાવી જોઈએ. જો તમે દૂધ, સોડા, ખાંડ અથવા તેલ ખાઓ છો, તો તેનાથી તમારા શરીરમાં કાર્બ્સની માત્રા વધી જાય છે. તેવામાં રોટલી દ્વારા શરીરમાં ઓછો કાર્બ્સ ઉમેરવો જોઈએ. જો તમે આવી છીજો વધારે ખાઈ રહ્યા છો, તો પછી રોટલી ઓછી ખાવી જોઈએ.

ક્યા સમયે રોટલીના સેવનથી મળશે ફાયદો

વજન ઓછું કરવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ તે જાણવું જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે રોટલી ની માત્રા પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ હોય છે. જો તમે મહિલા છો અને તમારા ડાયટ પ્લાનમાં દિવસમાં ૧૪૦૦ કેલરી લેવાની છે, તો તમારે ૨ રોટલી દિવસમાં અને ૨ રોટલી રાત્રે ખાવી જોઈએ. વળી જો તમે પુરુષ છો તો તમારા ડાયટમાં ૧૭૦૦ કેલેરી છે, તો તમારે દિવસમાં અને રાત્રે ૩-૩ રોટલી ખાવી જોઈએ.

વજન ઓછું કરવા માટે ફક્ત રોટલીની ગણતરી જરૂર નથી. તેના માટે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે કયા સમયે રોટલી ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું માનવામાં આવે તો રાતની તુલનામાં દિવસમાં રોટલી ખાવી વધારે યોગ્ય રહેશે. હકીકતમાં રોટલીમાં ફાઇબર હોય છે જેને પચાવવાની પ્રોસેસ ખૂબ જ ધીમી હોય છે. જો તમે દિવસના સમય રોટલી ખાઓ છો તો તમે ખૂબ જ મહેનત કરી રહ્યા હોય અને કામ કરી રહ્યા હોય. તેવામાં રોટલીની માત્રા તમારા શરીરને વધારે લાગતી નથી અને તમને એનર્જી આપે છે.

બીજી તરફ જ્યારે તમે રાતના સમયે રોટલીનું સેવન કરો છો અને સુઈ જાઓ છો, તો તેનાથી પાચન ક્રિયા ચાલુ રહે છે. તે શરીર માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેવામાં રાતના સમયે રોટલી ખાવી યોગ્ય નથી. જો કે રોટલીનું સેવન ચોખાના સેવન કરતા વધારે સારું માનવામાં આવે છે. રોટલી માં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જેનાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. સાથોસાથ તે બ્લડ શુગર લેવલને પણ ધીરે ધીરે પ્રભાવિત કરે છે. બીજી તરફ ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે ખૂબ જ જલદી પચી જાય છે. તે તમારા બ્લડ શુગર લેવલને ખૂબ જ ઝડપથી ઇફેક્ટ કરે છે. તેવામાં રોટલી ખાવી દરેક સ્થિતિમાં સારી છે.