જાણો સોમનાથ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ કહાની

Posted by

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સ્થિત છે અને આ મંદિર આપણા દેશના ૧૨ જ્યોતિર્લિંગ માથી એક છે. સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. એવું કહેવામાં આવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને આ મંદિરની સ્થાપના ચંદ્ર દેવ એ ઘણા દેવતાઓ સાથે મળીને કરી હતી. આ મંદિરને સોમનાથ મહાદેવ મંદિરનાં નામથી પણ જાણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં જઈને શિવ ભગવાનની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થઈ જાય છે.

સોમનાથ જ્યોતિલિંગની કહાની

સોમનાથ જ્યોતિર્લિંગની કહાનીનું વર્ણન પુરાણોમાં મળી આવે છે. પુરાણોના અનુસાર દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ પુત્રીઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા. ચંદ્રદેવ આ વિવાહથી ખુબ જ ખુશ હતા પરંતુ ચંદ્ર દેવ પોતાની બધી પત્નીઓમાંથી દક્ષની પુત્રી રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા હતા. જેના લીધે રાજા દક્ષની અન્ય પુત્રીઓ આ વિવાહથી ખુશ નહોતી. એક દિવસ રાજા દક્ષની બધી પુત્રીઓ તેમને મળવા માટે આવી અને તેમણે રાજા દક્ષને જણાવ્યું કે કઈ રીતે ચંદ્રદેવ ફક્ત રોહિણીનો જ ખ્યાલ રાખે છે અને પોતાની અન્ય પત્નીઓને પ્રેમ કરતા નથી. રાજા દક્ષની પોતાની પુત્રીઓનું આ દુઃખ જોઈને ખૂબ જ દુઃખ થયું અને તે ચંદ્ર દેવને મળવા માટે ચાલ્યા ગયા. ચંદ્રદેવને મળીને રાજા દક્ષ એ તેમને સમજાવ્યું કે તે જે રીતે રોહિણીને પ્રેમ કરે છે અને તેમની સારસંભાળ રાખે છે, તે રીતે જ તેમની અન્ય પુત્રીઓનું પણ ધ્યાન રાખે. રાજા દક્ષના સમજાવવા પર ચંદ્રદેવ એ તેમને વચન આપ્યું કે તે તેમની દરેક પુત્રીઓનું ધ્યાન પણ રોહિણીની જેમ જ રાખશે.

ખૂબ જ સમય પસાર થઈ ગયો પરંતુ ચંદ્ર દેવ પોતાના વચનોને પૂરા કરવામાં અસમર્થ રહ્યા અને રાજા દક્ષની પુત્રીઓ ફરીથી દુઃખી રહેવા લાગી. જ્યારે રાજા દક્ષને આ વાતની જાણ થઈ તો તેમણે ચંદ્ર દેવને ફરીથી સમજાવવાની કોશિશ કરી પરંતુ ચંદ્ર દેવ માન્યા નહી. ત્યારબાદ રાજા દક્ષએ ગુસ્સામાં આવીને ચંદ્ર દેવને ક્ષય ગ્રસ્ત થઈ જવાનો શ્રાપ આપી દીધો. આ શ્રાપ મળતાં જ ચંદ્રદેવ ક્ષય રોગથી ગ્રસ્ત થઇ ગયા અને ધીમે ધીમે તેમની ચમક ઓછી થવા લાગી. જેના લીધે દેવલોકના બધા જ દેવતાઓ પણ ખૂબ જ ચિંતિત થવા લાગ્યા.

સોમનાથ જ્યોતિર્લિંગની કહાની અનુસાર આ શ્રાપ મળ્યા બાદ ચંદ્રદેવ આ શ્રાપથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. ત્યારે ચંદ્ર દેવ બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજીએ ચંદ્ર દેવને એક સ્થાન પર જઈને ભગવાન શિવની તપસ્યા કરવાનું કહ્યું. બ્રહ્માજીના આ ઉપાયને માનીને ચંદ્ર દેવ સોમનાથ આવ્યા અને અહીંયા આવીને તેમણે વિધિપૂર્વક મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન શિવની આરાધના કરી. ચંદ્ર દેવ એ ૬ મહિના સુધી શિવજીની તપસ્યા કરી અને ૧૦ કરોડ વાર મૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. ચંદ્ર દેવની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને આ જગ્યા પર ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને તેમને કહ્યું કે, ચંદ્ર દેવ તમારી કલા દરેક દિવસે એક પક્ષમાં ક્ષીણ થવા લાગશે જ્યારે બીજા પક્ષમાં તે નિરંતર વધતી રહેશે. આ રીતે તમને પ્રત્યેક પૂર્ણિમા એ પૂર્ણ ચંદ્રત્વ પ્રાપ્ત થતું રહેશે. ચંદ્રમા ને મળેલા આ વરદાનથી તેમને મળેલો શ્રાપ સમાપ્ત થઈ ગયો અને તેમની ચમક પરત આવી ગઈ. ત્યારબાદ ચંદ્ર દેવ એ સોમનાથમાં શિવલિંગની સ્થાપના કરી અને ત્યારથી સોમનાથ મંદિર પ્રસિદ્ધ થઈ ગયું. આ જગ્યા પર દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવવા લાગ્યા.

સોમનાથ મહાદેવ મંદિરથી જોડાયેલ મહત્વપૂર્ણ જાણકારી

  • એવું કહેવામાં આવે છે કે આ મંદિરને ચંદ્રદેવ એ ઘણા દેવતાઓ સાથે મળીને બનાવ્યું હતું. આ મંદિરને ચંદ્રદેવ એ સોનાથી, સૂર્યદેવએ ચાંદી થી અને ભગવાન શ્રીકૃષ્ણએ લાકડીથી બનાવ્યું હતું.
  • સોમનાથ મહાદેવ મંદિર ખૂબ જ જૂનું છે. આ મંદિર પર ઘણીવાર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મંદિરને સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ મંદિરને ૧૭ વાર નષ્ટ કરી નાખવામાં આવ્યું હતું.
  • ૮ મે ૧૯૫૦માં સોમનાથ મહાદેવ મંદિરની આધારશીલા રાખવામાં આવી હતી. ત્યારબાદ ૧૧ મે ૧૯૫૧ માં ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ એ સોમનાથ મહાદેવ મંદિરમાં જ્યોતિર્લિંગને સ્થાપિત કર્યું અને આ મંદિર ૧૯૬૨માં પૂર્ણ નિર્મિત થયું હતું.

  • એવી માન્યતા છે કે સોમનાથ મહાદેવ મંદિરમાં જ શ્રીકૃષ્ણ એ પોતાનો દેહત્યાગ કર્યો હતો.
  • સોમનાથ મહાદેવ મંદિરમાં દરરોજ ત્રણ આરતી થાય છે. પહેલી આરતી ૭:૦૦ વાગ્યે થાય છે, બીજી આરતી ૧૨:૦૦ વાગ્યે અને ત્રીજી આરતી સાંજે ૭:૦૦ વાગ્યે થાય છે.
  • આ મંદિરમાં હિન્દુ લોકો સિવાય લોકોએ પ્રવેશ કરતા પહેલા પરવાનગી લેવી પડે છે અને પરવાનગી મળ્યા બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.
  • આ મંદિરની પાસે જ ત્રણ નદીઓ આવેલી છે અને આ નદીઓનું નામ હિરણ, કપિલા અને સરસ્વતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *