જો ઘરની મહિલાઓ સવારે ઊઠીને કરશે આ કામ તો પરિવાર પર ક્યારેય નહી આવે આફત

Posted by

દરેક વ્યક્તિ મહેનત કરીને પોતાના ઘર પરિવાર માટે પૈસા કમાય છે કારણકે તેમના પરિવારના લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય. પરંતુ અમુક લોકોના ઘરમાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી. એટલું જ નહી પરંતુ પારિવારિક કલેશ પણ થતાં રહે છે અને હંમેશા તણાવભર્યું વાતાવરણ રહે છે. તેની પાછળનું એક કારણ ખરાબ વાસ્તુદોષ હોય શકે છે. તેથી જો તમે પણ તમારા ઘર પરિવારમાં આ મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યા હોય તો ચાલો અમે તમને જણાવી દઈએ આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાના ઉપાયો.

આ ઉપાયોથી દૂર થશે વાસ્તુદોષ

ઘરની મહિલાઓએ દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠીને ઘરના મુખ્ય દરવાજાને ખોલીને ત્યાં એક લોટો પાણી નાખી દો તેનાથી વાસ્તુદોષ દૂર થઈ જશે અને ધનની દેવી માં લક્ષ્મી પણ પ્રસન્ન થશે, એટલે કે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

જો ઘરમાં વાસ્તુદોષ રહે છે તો પરિવારના સદસ્યોની વચ્ચે ઝઘડાઓ થતા રહે છે. જો તમે પણ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો અમાસના દિવસે ઘરની યોગ્ય રીતે સાફ સફાઈ કરી લો અને કાચી લસ્સીનો છંટકાવ કરો. ત્યારબાદ પોતાના ઘરના પૂજા સ્થાન પર પાંચ અગરબત્તીઓ પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ ખતમ થવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેના સિવાય ઘરના સદસ્યોની વચ્ચે મધુરતા વધે છે અને સુખ શાંતિનું વાતાવરણ બને છે.

ખરાબ નજરથી બચવા માટે કરો આ ઉપાય

ઘરના નાના બાળકોને સૌથી જલ્દી ખરાબ નજર લાગે છે. જો તમારા ઘરના બાળકોને પણ નજર લાગવાની સમસ્યા રહેતી હોય તો ગાયના કાચા દૂધને ડાબા હાથથી બાળકના માથા પરથી ૭ વાર ફેરવો ત્યારબાદ એ દૂધને કોઈ કૂતરાને પીવડાવી દો. આવું કરવાથી ખરાબ નજરમાંથી મુક્તિ મળે છે પરંતુ ધ્યાન રહે કે આ ઉપાય ફક્ત સાંજે જ કરવો.

બિમારી અને કરજમાંથી મેળવો છુટકારો

જો તમારા ઘરના સદસ્ય વધારે બિમાર પડે છે તો મહિનામાં ૨ વાર ગૂગળ કે લોબાન સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી દો. તેનાથી બિમારીઓમાંથી મુક્તિ મળી જશે. જો તમે કરજ નીચે દબાયેલા હોય તો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગનો બલ્બ લગાવવો જોઈએ અને તેને ચાલુ રાખી દેવો જોઈએ. આવું કરવાથી ખૂબ જ જલ્દી કરજમાંથી મુક્તિ મળે છે સાથે જ પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે.

આ ઉપાયથી નહી થાય આર્થિક તંગી

ઘણા લોકોના ઘરમાં મહેનત કરવા છતાં પણ પૈસા ટકી શકતા નથી. તેનું એક કારણ ખોટી દિશામાં અલમારી રાખવાનું પણ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અલમારી હંમેશા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. તેનાથી ઘરમાં ધનની દેવી માં લક્ષ્મી નિવાસ કરે છે અને પૈસા બચત કરવામાં પણ મદદ મળે છે.

સફળતા મેળવવા માટે કરો આ ઉપાય

જો તમે સખત મહેનત કરી રહ્યા હોય છતાં પણ તમે સફળ ના થઈ રહ્યા હોય તો નિશ્ચિતપણે તમે નિરાશ થશો. તેવામાં જો તમે કોઈ જરૂરી કામ પર જાઓ છો તો તેના પહેલા તમે વિપરીત દિશામાં ચાર ડગલા જરૂર ચાલો. ત્યારબાદ સીધા જ પોતાના કામની તરફ ચાલ્યા જવું. આવું કરવાથી તમારા કામમાં અડચણ ઉત્પન્ન થશે નહી અને જીવનમાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *