ઈંડાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને દરરોજ ઈંડા ખાવાથી શરીરને જરૂરી તત્વો મળી રહે છે. ઘણા લોકો ઈંડા પકાવીને ખાય છે, જ્યારે અમુક લોકો કાચા ઈંડા ખાતા હોય છે. ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટના અનુસાર ઈંડાને હંમેશા યોગ્ય રીતે ખાવા જોઈએ, કારણકે ખોટી રીતે ઈંડા ખાવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. જો તમે ઈંડા ખાતા હોય તો તેને ખાતા સમયે નીચે જણાવવામાં આવેલી ભૂલો ના કરવી જોઈએ અને હંમેશા સાચી રીતથી જ ઈંડા ખાવા જોઈએ.
એક દિવસમાં કેટલા ખાઈ શકો છો ઈંડા
ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટના અનુસાર પુરુષોએ ૩ ઈંડા યોક વગર અને એક ઈંડુ યોકની સાથે ખાવું જોઈએ. જ્યારે મહિલાઓએ એક ઈંડુ યોકની સાથે અને એક ઈંડુ યોક વગર ખાવું જોઈએ. એટલે કે પુરુષોએ એક દિવસમાં કુલ ૪ ઈંડા ખાવા જોઈએ જ્યારે મહિલાઓએ ૨ ઇંડા પોતાના ડાયટમાં સામેલ કરવા જોઇએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઈંડા ગરમ હોય છે તેથી વધારે ઈંડા ખાવા ના જોઈએ.
આ રીતે કરો ઇંડાનું સેવન
ઘણા લોકોને એવું લાગે છે કે કાચું ઈંડું સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે પરંતુ ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટના અનુસાર પકાવેલું ઈંડુ સ્વાસ્થ્ય માટે વધારે કારગર સાબિત થાય છે, તેથી તમારે પણ પકાવેલું ઈંડું જ ખાવું જોઈએ. હકીકતમાં જ્યારે ઈંડાને પકાવવામાં આવે છે તો તેમાં પ્રોટીનની માત્રા વધી જાય છે. કાચું ઈંડું ખાવાથી ઈંડામાં રહેલ કુલ પ્રોટીનનો ફક્ત ૫૧% અવશોષિત શરીરને મળી શકે છે. જ્યારે તેને પકાવીને ખાવાથી શરીરને ૯૧% સુધીનું પ્રોટીન મળે છે. હકીકતમાં તાપમાન વધવાથી ઈંડામાં રહેલ પ્રોટીનનું સ્ટ્રક્ચર બદલાઈ જાય છે. એટલું જ નહીં પકાવેલું ઈંડુ સરળતાથી પચી પણ જાય છે. જ્યારે કાચા ઈંડાને પચવામાં ખુબ જ સમય લાગે છે. વળી ઈંડા બનાવતા સમયે યોગ્ય તેલમાં જ તેને ફ્રાય કરવા જોઈએ. ઈંડા ફ્રાય કરવા માટે એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ, બટર અને કોકોનટ ઓઇલને યોગ્ય માનવામાં આવે છે. કાચા ઈંડા ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે કારણ કે કાચા ઈંડામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે, જે સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતા નથી, તેથી તમારે કાચા ઈંડાની જગ્યાએ પકાવેલા ઈંડા જ ખાવા જોઈએ.
ઈંડાને વધારે પકાવવા નહી
ઘણા લોકો ઈંડાને લાંબા સમય સુધી પકાવે છે, જે ખરેખર યોગ્ય નથી. ઈંડાને વધારે પકાવવાથી તેમાં રહેલ તત્વો ખતમ થઇ જાય છે. વધારે તાપમાનમાં તેને પકાવવાથી તેમાં રહેલા પ્રોટીન તો તમને મળે છે પરંતુ અન્ય પોષક તત્વો ખતમ થઇ જાય છે. એક રિસર્ચના અનુસાર જો ઈંડાને વધારે તાપમાનમાં પકાવવામાં આવે તો તેમાં રહેલ વિટામિન-એ ૧૭ ટકાથી ૨૦ ટકા સુધી ઓછું થઈ જાય છે અને તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ પણ ઘટી જાય છે. તેથી ઈંડાને લાંબા સમય સુધી પકાવવાથી બચવું જોઈએ.
ઈંડાને બોઇલ કરવાની યોગ્ય રીત
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તે લોકોએ ઈંડાને બાફીને જ ખાવા જોઈએ, પરંતુ ઈંડાને બાફતા સમય તમારે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેને તમારે લાંબા સમય સુધી કે વધારે તાપમાનમાં બાફવા ના જોઈએ.
આ રીતે થાય છે વજનમાં ઘટાડો
ઈંડાની અંદર પ્રોટીન મળી આવે છે અને પ્રોટીનયુક્ત ભોજન લેવાથી જલ્દી ભૂખ લાગતી નથી, તેથી વજન ઓછું કરવા માટે તમારે પોતાના ડાયટમાં બાફેલા ઈંડાને જરૂર સામેલ કરવા જોઇએ. ઈંડાને હંમેશા બ્રાઉન બ્રેડ, દૂધ કે રોટલીની સાથે જ ખાવા જોઈએ. કારણ કે આ ચીજોમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને કાર્બોહાઈડ્રેટ પ્રોટીનને એબ્જોર્બ કરવાનું કામ કરે છે. બાફેલા ઈંડામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને પૌષ્ટિક તત્વ વધારે હોય છે, વળી ઈંડાને વધારે હેલ્ધી બનાવવા માટે તેમને બનાવતા સમયે તમે તેમાં શાકભાજી પણ ઉમેરી શકો છો.