દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ મુકેશ અંબાણી સામાન્ય માણસની જેમ જ જીવન જીવે છે અને ઘરેથી કામ પર નીકળતા પહેલા તે પોતાની માં ના આશીર્વાદ જરૂર લે છે. મુકેશ અંબાણી પોતાના કામમાં કેટલા પણ વ્યસ્ત કેમ ના હોય પરંતુ તે પોતાના પરિવારના લોકો માટે સમય જરૂર કાઢી લે છે. આજે અમે તમને મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કઇ રીતે તે પોતાના દિવસની શરૂઆત કરે છે.
મુકેશ અંબાણી પોતાના પરિવારની સાથે મુંબઈમાં રહે છે. તેમના પરિવારમાં તેમની માં, પત્નિ, બે દિકરા, એક વહુ અને એક પૌત્ર છે. જ્યારે તેમને એક દિકરી પણ છે, જેમના તેમણે લગ્ન કરાવી દીધા છે.
૬૩ વર્ષના મુકેશ અંબાણી પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે અને ફક્ત હેલ્ધી ભોજન જ કરે છે. તે દરરોજ સવારે ૫.૩૦ વાગ્યે ઉઠી જાય છે અને ત્યારબાદ તે યોગ અને જીમ કરે છે. કસરત કર્યા બાદ તે પોતાના દિવસની શરૂઆત કરે છે.
તે શુદ્ધ શાકાહારી ભોજન જ કરે છે, વળી કામ પર જતા પહેલા તે પોતાની માં ને જરૂર મળે છે અને માં ના આશીર્વાદ લીધા વગર ઘરની બહાર નીકળતા નથી.
કામમાં વ્યસ્ત રહેવાના કારણે મુકેશ અંબાણીને પોતાના પરિવારના લોકોની સાથે વધારે રહેવાનો સમય મળતો નથી, તેથી તે રવિવારનાં દિવસે પોતાને સંપૂર્ણ રીતે ફ્રી રાખે છે અને પોતાના પરિવારના લોકોની સાથે બેસીને જ ભોજન કરે છે. રવિવારનો દિવસ તે સંપૂર્ણ રીતે પોતાના પરિવારને સમર્પિત કરે છે.
મુકેશ અંબાણી આલ્કોહોલને સ્પર્શ પણ કરતા નથી. તે ભલે ગમે તેટલી મોટી પાર્ટીમાં ગયા હોય તેમ છતાં પણ તે ક્યારેય આલ્કોહોલને સ્પર્શ પણ કરતા નથી. તેના સિવાય તે ખૂબ જ મોટા દાનવીર પણ છે અને સમય સમય પર પૈસાનું દાન કરતાં રહે છે. કોરોના કાળમાં તેમણે ૫૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.