કપૂર સાથે જોડાયેલ આ ઉપાય ચમકાવી દેશે તમારું ભાગ્ય, તેને અપનાવીને કોઈપણ બની શકે છે ધનવાન

પૂજા દરમિયાન કપૂરનો પ્રયોગ કરવામાં આવે છે અને કપૂરનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવેલી પૂજા સફળ માનવામાં આવતી નથી. તેથી જ્યારે પણ તમે કોઈ પૂજા કે હવન કરો છો તો કપૂરનો પ્રયોગ જરૂર કરો. પૂજા સિવાય કપૂરની મદદથી ઘણા પ્રકારના દોષ પણ દૂર કરવામાં આવી શકે છે. આજે અમે તમને કપૂરના અમુક ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમારી ઘણી પરેશાનીઓ દૂર થઈ જશે.

નકારાત્મક ઉર્જાને કરે છે દૂર

ઘરમાં નકારાત્મક ઊર્જા મહેસૂસ થવા પર એક ટોકરીની અંદર કપૂર રાખી દો અને આ કપૂરને ઘરનાં કોઇ ખુણામાં રાખી દો. સમયસર આ કપૂરને બદલતા રહો. આ રીતે દરરોજ પૂજા કરતા સમયે ઘરમાં કપૂર પ્રગટાવો અને કપૂરને સંપૂર્ણ ઘરમાં ફેરવો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જશે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.

વાસ્તુદોષ થાય છે દૂર

જ્યોતિષશાસ્ત્રના અનુસાર કપૂરની મદદથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે. ઘરમાં વાસ્તુદોષ હોવા પર પૂજા પાઠ કરતા સમયે કપૂર જરૂર પ્રગટાવો. આવું કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થઈ જશે. આ રીતે દુકાન પર પણ કપૂર પ્રગટાવવું શુભ ફળ આપે છે. દુકાનમાં કપૂરને પ્રગટાવીને તેને સારી રીતે દરેક ખૂણામાં ફેરવો. બની શકે તો તેને પ્રગટાવતા સમયે તેમાં લવિંગ પણ ઉમેરી દો.

ધન લાભ માટે

ધન લાભ હેતુ તમે લાલ ગુલાબના ફૂલમાં કપૂરનો એક ટુકડો રાખી દો અને આ કપૂરને પ્રગટાવીને તેમને માં લક્ષ્મીની સામે અર્પિત કરો. આ ઉપાય કરવાથી ધન લાભ થવા લાગશે. આ રીતે તમે કપૂરને પ્રગટાવીને ફુલ સહિત દેવી દુર્ગાને પણ અર્પિત કરી શકો છો. બિનજરૂરી ખર્ચાઓ થવા પર સાંજના સમયે કપૂરનો દીવો પ્રગટાવો અને તેને સંપૂર્ણ ઘરમાં ફેરવો. છેલ્લે માં લક્ષ્મીની આરતી કરો.

નજરદોષ થાય છે દૂર

નજરદોષ હોવા પર તમે કપૂરને માથા ઉપરથી ૭ વાર ફેરવો. બાદમાં તેમને સળગાવી નાખો. આવું કરવાથી નજરદોષ ખતમ થઇ જશે. આ પ્રકારે જ પિતૃઓની પૂજા કરતા સમયે કપૂરનો પ્રયોગ જરૂર કરવો અને તેને જરૂર સળગાવવું. આવું કરવાથી પિતૃદોષ પણ ખતમ થઇ જશે.