ખૂબ જ શક્તિશાળી હોય છે સુંદરકાંડનાં પાઠ, તેને વાંચવાથી દૂર થઈ જાય છે જીવનનાં દરેક કષ્ટ

Posted by

હનુમાનજીની કૃપા મેળવવી અને તેમને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. હનુમાનજીની પૂજા કરીને અને તેમની સાથે જોડાયેલ પાઠને વાંચીને કોઈપણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે. માન્યતા છે કે જે લોકો હનુમાનજીનાં પાઠ વાંચે છે, બજરંગ બલી તેમની સદાય રક્ષા કરે છે અને તેમની તમામ પરેશાનીઓને દૂર કરે છે. જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારનાં કષ્ટ અને દુઃખ છે તો પરેશાન થવાની જરૂર નથી. બસ મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરી લેવો. સુંદરકાંડનો પાઠ વાંચવાથી તમામ દુઃખોનું નિવારણ થઈ જાય છે. શાસ્ત્રોમાં આ પાઠને ખૂબ જ અસરદાર બતાવવામાં આવ્યો છે. જો કે તેને યોગ્ય રીતે વાંચવામાં આવે ત્યારે જ હનુમાનજીની કૃપા મેળવી શકાય છે, તેથી તમે જ્યારે પણ આ પાઠ કરો તો નિયમ અનુસાર જ તેમને વાંચવો જોઈએ.

સુંદરકાંડનું મહત્વ

હનુમાનજીને બળ અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનની કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ. જે લોકો સુંદરકાંડનો પાઠ કરે છે, તેમના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તેમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. તેના સિવાય પ્રતિ દિવસ સુંદરકાંડનો પાઠ કરવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારો પણ થાય છે.

સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ હંમેશા માટે દૂર થઈ જાય છે. તમને જીવનમાં ક્યારેય પણ નિરાશા કે કોઈ ચીજ તમને જો કષ્ટ આપે છે તો તમારે બસ આ પાઠ વાંચી લેવો જોઈએ. સુંદરકાંડના પાઠ ઘર પર સરળતાથી વાંચી શકાય છે. જોકે આ પાઠ વાંચતા સમયે તમારે ઘણી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. સુંદરકાંડનો પાઠ વાંચતા સમયે નીચે જણાવવામાં આવેલી વાતોનું પાલન જરૂર કરવું.

સુંદરકાંડના પાઠનાં નિયમ

  • ઘણા લોકો મંગળવારનાં દિવસે સુંદરકાંડનો પાઠ કરે છે તો ઘણા લોકો દરરોજ આ પાઠનું વાંચન કરે છે તેથી તમે પોતાના હિસાબથી આ પાઠ કરી શકો છો.
  • આ પાઠને ફક્ત સાંજના સમયે વાંચી શકાય છે. તેથી આ પાઠ હંમેશા સાંજે ૭ વાગ્યા બાદ જ કરવો જોઈએ.
  • જો તમે વિશેષ ફળની પ્રાપ્તિ માટે સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છો તો આ પાઠની શરૂઆત મંગળવાર કે શનિવારનાં દિવસે જ કરવી.
  • સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા પોતાને સ્વચ્છ રાખવા જરૂરી છે. ક્યારેય પણ ગંદા હાથોથી આ પાઠના પુસ્તકને સ્પર્શ કરવો નહી.

  • સુંદરકાંડનો પાઠ કરતા પહેલા પૂજા સ્થળ પર હનુમાનજીની મૂર્તિ જરૂર રાખો. બની શકે તો સાથે જ ભગવાન શ્રીરામ-સીતાજીની મૂર્તિ પણ રાખો.
  • હનુમાનજીની સામે દેશી ઘી નો દિવો પ્રગટાવો અને તેમને મીઠાઈ અર્પિત કરો.
  • સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા ભગવાન શ્રીરામનું નામ લેવું અને ત્યારબાદ જ આ પાઠ શરૂ કરવો.
  • આ પાઠ પૂરો થયા બાદ ભગવાન શ્રીરામનું નામ લેવું અને આંખ બંધ કરીને હનુમાનજીનું ધ્યાન કરવું અને આ પાઠના પુસ્તકને યોગ્ય રીતે મંદિરમાં રાખી દો.

  • બની શકે તો સુંદરકાંડનો પાઠ કરતા સમયે તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસની પણ પૂજા કરો.
  • સુંદરકાંડનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની અંદરથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
  • તો આ હતી તે અમુક મહત્વપૂર્ણ વાતો જેમનું પાલન તમારે સુંદરકાંડનો પાઠ કરતા સમયે જરૂર કરવું જોઈએ. આ પાઠ કર્યા બાદ થોડા જ દિવસોમાં તમને તેનું ફળ મળવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *