કોઈપણ જગ્યાએ કિન્નર જોવા મળે તો તેમને કહી દો આ ૨ શબ્દો, મળશે અપાર ધન

કિન્નર કે જેને આપણે ટ્રાન્સજેન્ડર પણ કહીએ છીએ. તેમની દુનિયા હજારો રહસ્યોથી ભરેલી હોય છે. કિન્નર સમુદાયના રહસ્યોમાંથી પડદો ઉઠવાનો હજુ બાકી છે. કિન્નરના ઘણા રહસ્યો એવા છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે. તેવામાં તેમના રહસ્યોને દરેક લોકો જાણવા માંગતા હોય છે. આજે અમે તમને કિન્નરોના વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ કામની છે.

એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે કિન્નરોને તહેવાર થી લઈને લગ્ન, મુંડન જેવા શુભ કાર્યોમાં બોલાવવામાં આવે છે. પરંતુ તે વાતની ખૂબ જ ઓછા લોકોને હશે કે કિન્નરના આશીર્વાદથી કોઈપણ વ્યક્તિ પર ધનનો વરસાદ પણ થઈ શકે છે. આજે તમને તેના વિશે જણાવીશું કે કઈ રીતે કિન્નરના આશીર્વાદથી ધનનો વરસાદ થઈ શકે છે.

કિન્નરના આશીર્વાદથી થશે ધનની વર્ષા

તમને જણાવી દઈએ કે કિન્નરોની દુનિયા જેટલી બહારથી અલગ દેખાય છે એટલી જ અંદરથી રહસ્યમય પણ હોય છે. ત્યાં સુધી કે તેમના રીતિ-રિવાજ અને સંસ્કાર અન્ય ધર્મોથી બિલકુલ અલગ છે. આ સમુદાયને આપણે લોકો થર્ડ-જેન્ડર, ટ્રાન્સજેન્ડર અને કિન્નર જેવા અલગ-અલગ નામોથી જાણીએ છીએ. આજે અમે તમને કિન્નરો સાથે જોડાયેલી એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે હજુ સુધી જાણતા નહીં હોય. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે તમારા ઉપર કિન્નરના આશીર્વાદથી ધનનો વરસાદ થઇ શકે છે.

એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરના આશીર્વાદ તમારી સાથે હોય તો તમે ક્યારેય પણ ગરીબ નહી બની શકો. એવું કહેવામાં આવે છે કે જો તમને ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૈસાની તંગી રહેતી હોય તો તમારે કોઈ કિન્નરના આશીર્વાદ લેવા જોઈએ. જો તમને એવું લાગી રહ્યું છે કે બધા જ પ્રયત્નો કરવા છતાં પણ તમે સફળ થઇ શકતાં નથી તો તમારે કિન્નરોને ક્યારેય પણ નારાજ કરવા ના જોઈએ. તેનાથી તમારું નસીબ તમને સાથ આપી શકે છે.

જો તમે ઇચ્છો છો કે તમારા ઉપર કોઈપણ પ્રકારની સમસ્યા ના આવે અને તમે હંમેશા અમીર રહો તો તમારે કિન્નરને ક્યારેય પણ નારાજ કરવા ના જોઈએ. આજકાલ કિન્નર તમને સૌથી વધારે ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે અથવા તો રોડ પર મળી જાય છે. તે લોકોની પાસે જઈને પૈસા માંગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો તેમને પૈસા આપવાની મનાઇ કરે છે. તેમને ભારે ગરીબીનો સામનો કરવો પડે છે. તેનાથી બચવાનો સરળ ઉપાય એ છે કે તમે કિન્નરને ક્યારેય પણ તમારી પાસેથી નારાજ થઈને જવા ના દો.

કહેવામાં આવે છે કે કિન્નરના આશીર્વાદથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમે કિન્નરની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને પોતાના પર્સમાં રાખો છો તો તેનાથી પણ તમારી બધી જ મનોકામના પૂરી થાય છે. પરંતુ જો કોઈ કિન્નર કોઈને બદદુઆ આપી દે છે તો તેમની જિંદગી બરબાદ પણ થઈ શકે છે. તેથી જ્યારે પણ કોઈ કિન્નર તમારી પાસેથી પૈસા માંગે તો તેમને પૈસા આપી દેવા જોઈએ. તેના સિવાય કિન્નરના જવાના સમયે તેમને બોલજો કે “હજુ આવજો”. કારણકે આ શબ્દને બોલવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને કિન્નરના આશીર્વાદ તમારા ઉપર હંમેશા રહે છે. તમને કદાચ આ શબ્દો ખૂબ જ સામાન્ય લાગી રહ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય આ શબ્દો કોઇ કિન્નરને કહેલા છે ? લગભગ તમારો જવાબ “ના” હશે. જો તમે કિન્નરને આ શબ્દો બોલો છો તો તેમને એવું લાગશે કે તમે તેમને પૈસા દિલથી આપી રહ્યા છો કોઈ મજબૂરીમાં નહીં. તેથી તે જતા સમયે પણ તમને પુરા દિલથી દુઆ આપશે.