શાસ્ત્રોમાં અગણિત મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રોને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને તેમનો જાપ કરવાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે. મંત્રનો જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા દ્વારા કરવામાં આવે છે. મંત્રોનો જાપ કરવા માટે ઘણા પ્રકારની માળાનો પ્રયોગ કરવામાં આવે છે. આ બધી જ માળાઓમાં ૧૦૮ મણકા હોય છે. હકીકતમાં શાસ્ત્રોમાં ૧૦૮ સંખ્યાનું ખૂબ જ મહત્વ છે અને આ જ કારણ છે કે માળામાં ૧૦૮ મણકા હોય છે અને મોટાભાગે મંત્રોનો જાપ ૧૦૮ વાર કરવામાં આવે છે.
શાસ્ત્રો સિવાય વિજ્ઞાનમાં પણ ૧૦૮ સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર માળાના ૧૦૮ મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. શાસ્ત્રોના અનુસાર ૨૪ કલાકમાંથી ૧૨ કલાક મનુષ્ય પોતાનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે અને બાકીના ૧૨ કલાકમાં મનુષ્યએ ભગવાનનું નામ લેવું જોઈએ. ૧૨ કલાકમાં વ્યક્તિ લગભગ ૧૦૮૦૦ શ્વાસ લે છે, પરંતુ એક દિવસમાં ૧૦૮૦૦ વાર મંત્રોનો જાપ કરી શકાય નહી. તેથી આ સંખ્યાની પાછળથી ૦૦ ને હટાવીને જાપની સંખ્યા ૧૦૮ રાખવામાં આવી છે. એક દિવસમાં દરેક મનુષ્યએ ૧૦૮ વાર ભગવાનનું નામ જરૂર લેવું જોઈએ. આ તર્કનાં લીધે જ માળામાં મણકાની સંખ્યા પણ ૧૦૮ હોય છે.
વૈજ્ઞાનિક મહત્વ
વિજ્ઞાનમાં પણ ૧૦૮ સંખ્યાનું ખૂબ જ મહત્વ છે. વૈજ્ઞાનિકોના અનુસાર એક વર્ષમાં સૂર્ય ૨૧૬૦૦૦ કળાઓ બદલે છે. ૬ મહિના ઉત્તરાયણ રહે છે અને ૬ મહિના દક્ષિણાયન રહે છે. આ રીતે ૬ મહિનામાં સૂર્યની કળાઓ ૧૦૮૦૦૦ વાર બદલે છે. આ સંખ્યાના અંત માંથી ૦૦૦ ને હટાવી દેવામાં આવે તો ૧૦૮ સંખ્યા રહે છે. શાસ્ત્રોમાં ૧૦૮ મણકાને સૂર્યની કળાઓનું પ્રતીક પણ માનવામાં આવે છે. મંત્રનો જાપ કરવા માટે ઘણા પ્રકારની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મંત્ર જાપ માટે તુલસી, રુદ્રાક્ષ, સ્ફટિક વગેરે જેવી માળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ માળાથી ક્યાં ભગવાનના મંત્રોનો જાપ કરવામાં આવે છે, તેમની જાણકારી આ પ્રકારે છે.
- કમળ ગટ્ટાની માળાને માતા લક્ષ્મીની ઉપાસના દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે અને આ માળા પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે.
- વૈજયંતિની માળા વૈજયંતિનાં બીજ માંથી બનેલ હોય છે અને આ માળાથી સૂર્યદેવ અને શનિદેવનાં મંત્રોનો જાપ કરવામાં આવે છે.
- તુલસીની માળાથી ભગવાન વિષ્ણુ, રામ અને કૃષ્ણ ભગવાન સંબંધિત મંત્રોનો જપ કરવામાં આવે છે.
- ચંદનની માળા પર માં દુર્ગાના મંત્રનો જાપ કરવામાં આવે છે.
- રુદ્રાક્ષની માળા પર શિવ ભગવાનનાં મંત્રોનો જાપ કરવાનો નિયમ છે.
- હળદરની માળા પર પીતાંબરા દેવી માં બગલામુખી, ભગવાન ગણેશ અને બૃહસ્પતિદેવનાં બધા જ મંત્રનો જપ કરી શકાય છે.
મંત્રોના જાપ કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન
- મંત્રોનો જાપ હંમેશા શુદ્ધ થઈને જ કરવો જોઈએ, મંત્રોનો જાપ કરતા સમયે તમારા હાથ અને પગ એકદમ સાફ હોવા જોઈએ.
- કોઈપણ મંત્રનો જાપ કરતા સમયે તમારી સામે એક દીવો જરૂર પ્રગટાવવો.
- મંત્રોનો જાપ કર્યા બાદ માળાને મંદિરમાં જ રાખી દો. ક્યારેય પણ મંત્રોનો જાપ કરીને માળાને ગંદી જગ્યા પર રાખવી નહી.
- સમય-સમય પર માળાને સાફ કરતી રહેવી જોઈએ.
- જે માળાના મણકા ખરાબ અને તૂટેલા હોય તેમનો પ્રયોગ મંત્રોના જાપ માટે ના કરવો.
- ખંડિત માળાને પીપળાના વૃક્ષની નીચે રાખી દેવી જોઈએ અથવા તો પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.