મુંબઈમાં બનેલ કોરોના કીલર માસ્ક કોરોના વાયરસને ખતમ કરી નાંખશે, ભારતીય અને અમેરિકાની લેબ દ્વારા આપવામાં આવી લીલી ઝંડી

Posted by

અત્યાર સુધી તમે કોરોના સાથે જોડાયેલ સમાચારોમાં વેક્સિનનાં ડેવલપમેન્ટ વિશે વાંચી રહ્યા હતા. પરંતુ અચાનક એવી ખુશખબરી આવી છે જેની તમને આશા પણ નહી હોય. હકીકતમાં મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપ દ્વારા એવું માસ્ક વિકસિત કરવામાં આવેલ છે જે કોરોના વાયરસને ફક્ત મોઢા અને નાથ દ્વારા શરીરમાં પ્રવેશ કરવાથી જ નથી રોકતું, પરંતુ વાઈરસને પણ મારી નાખે છે.

મુંબઈમાં બન્યું કોરોના કીલર માસ્ક

મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપ દ્વારા નેનોટેકનોલોજીનો ઉપયોગ કરીને કોરોના વાયરસ કીલર માસ્ક તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે આ માસ્કનો ઉપયોગ બાદ માસ્ક પર લાગેલા કોરોના વાયરસનાં ડ્રોપલેટ્સ થી સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જાય છે. સાથોસાથ આ માસ્કને તેની વોશિંગનાં આધાર પર ૬૦ થી લઇને ૧૫૦ વખત ઉપયોગ કરી શકાય છે.

સંક્રમિત કરી શકે છે માસ્ક પર લાગેલ વાયરસ

સાથોસાથ એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે માસ્ક ઉતારવા માટેની પણ યોગ્ય રીત હોવી જોઈએ, ક્યાં માસ્કને ધોઈને ઉપયોગ કરવો જોઈએ અને કોને નહીં. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે જો તમારી આસપાસ કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હાજર છે અને તેના શ્વાસ દ્વારા આ વાયરસ ડ્રોપલેટ્સ ના રૂપમાં હવામાન આવી જાય છે અને પછી શ્વાસ અથવા મોઢા દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.

બહારની સપાટી પર ચોંટી જાય છે વાયરસ

આ સ્થિતિમાંથી બચવા માટે જો તમે માસ્કનો ઉપયોગ કરો છો, તો આ વાયરસ માસ્કની બહારની સપાટી પર ચોંટી જાય છે. જે આગળના અમુક કલાક સુધી જીવિત રહી શકે છે. જો આ માસ્ક ઉતરતા સમયે તમે જરા પણ ચૂક કરો છો, તો વાયરસ તમને સંક્રમિત કરી શકે છે. સાથોસાથ ઉતારી લીધા બાદ તમારા હાથને પણ ધોવા ખૂબ જ જરૂરી છે, નહીં તો માસ્ક દ્વારા આ વાયરસ તમારા હાથ, મોઢા અથવા નાક પર લાગવાથી શરીરની અંદર પ્રવેશ કરી શકે છે.

આ માસ્કને મળી ગઈ છે મંજૂરી

હવે મુંબઈના સ્ટાર્ટ અપ થરમૈસેંસ દ્વારા જે માસ્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં દાવો કરવામાં આવે છે કે આમાં ફક્ત કોરોના વાયરસને શરીરમાં પ્રવેશ કરવાથી રોકતો નથી, પરંતુ માસ્કની બહારની સપાટી પર ચોંટેલા વાયરસને સંપૂર્ણ રીતે મારવાનું પણ કામ કરે છે. આ માસ્ક પ્રત્યે વિશ્વાસ એટલા માટે વધી ગયો છે કારણ કે તેને ભારતીય લેબ સહિત અમેરિકી લેબ દ્વારા પણ એપ્રુવલ આપી દેવામાં આવેલ છે. એટલે કે આ માસ્ક તૈયાર કરનાર એક્સપોર્ટ તરફથી જે દાવો કરવામાં આવી રહ્યો હતો, આ માસ્ક તે બધા પર ખરું ઉતરેલ છે.

ક્યાંથી મળી મંજૂરી?

મુંબઈ સ્થિત સ્ટાર્ટ અપ થરમૈસેંસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ માસ્કને International Organization for Standardization પ્રમાણીત અમેરિકી પ્રયોગશાળા અને ભારતમાં પરીક્ષણ અને અંશાકન પ્રયોગશાળા માટે રાષ્ટ્રીય પ્રત્યાપન બોર્ડ (National Accreditation Board for Testing and Calibration Laboratories(NABL) તરફથી માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા દ્વારા આ માસ્કનાં ઉત્પાદન અને ઉપયોગ માટે પરવાનગી મળી ગઈ છે.

કેવી રીતે બનેલ છે આ પ્રભાવશાળી માસ્ક?

હવે તમે જરૂર જાણવા માંગશો કે આખરે આ માસ્ક માં એવી કઈ વિશેષતા છે, જેના લીધે તેના પર રહેલા કોરોના વાયરસ મરી જાય છે. આ માસ્ક બનાવવા વાળા એક્સપર્ટ્સનું કહેવું છે કે આ માસ્ક જે કપડાં માંથી બનાવવામાં આવેલ છે, તેમાં નેનોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માસ્કને પહેરવાથી ફક્ત કોરોના જ નહીં પરંતુ લગભગ બધા પ્રકારના અન્ય વાઇરસ અને બેક્ટેરિયા પણ ખતમ થઇ જાય છે. અમેરિકન લેબ અનુસાર મુંબઈમાં બનેલા આ માસ્ક માત્ર ૫ મિનીટમાં અંદાજે ૯૩ ટકા કોરોના વાયરસને મારી શકે છે. વળી ૧ કલાકની અંદર તે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને ખતમ કરી દે છે એટલે કે લગભગ ૧૦૦ ટકા કોરોના વાયરસ કિલર.

કેટલી વખત ઉપયોગ થઈ શકે છે આ માસ્ક?

જાણકારી અનુસાર જ્યારે આ માસ્ક તૈયાર થઈને માર્કેટમાં આવશે, તો તેની કિંમત ૩૦૦થી ૫૦૦ રૂપિયાની વચ્ચે હશે. આ એક માસ્કને કેટલી વખત ઉપયોગમાં લઇ શકાશે, તે એ બાબત પર નિર્ભર કરશે કે તેનો ઉપયોગ કરવા વાળા વ્યક્તિ આ માસ્કને ધોવા માટે ક્યાં માધ્યમનો ઉપયોગ કરી રહેલ છે.

માસ્ક બનાવવાની ટીમ અનુસાર આ માસ્કને તૈયાર કરવા માટે જે કપડાનો ઉપયોગ કરવામાં આવે છે, તેને જો તમે હાથેથી ધોઈને ઉપયોગ કરો છો, તો આ માસ્કને ૧૫૦ વખત ધોઈને ઉપયોગ કરી શકાય છે. મશીનથી તમે તેને ૧૦૦ થી વધારે વખત ધોઈ શકો છો અને જો તમે તેને કેમિકલ વોશ, બ્લીચ અથવા ડ્રાયક્લીન જેવી પ્રોસેસ થી સાફ કરો છો તો તે ૬૦ થી વધારે ધોલાઈ સહન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *