નારિયેળ પાણી એક એવું પીણું છે, જેના ઘણા ફાયદાઓ છે. મોટાભાગે ગરમીના દિવસોમાં લોકો તેમનું સેવન કરે છે. નારિયેળ પાણી પીવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટસ્ મળી આવે છે. સાથે જ તેમાં કેલરી અને ફેટની પણ માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે તેને એક હેલ્ધી ડ્રીંકસ્ બનાવે છે.
ભારતમાં તો લોકોને નારિયેળ પાણી પીવું ખૂબ જ પસંદ છે પરંતુ તમને જણાવી દઈએ કે શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ તેમનું ખૂબ જ સેવન કરવામાં આવે છે. નારિયેળ પાણી વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. આજની આ સ્ટોરીમાં અમે તમને નારિયેળ પાણીના અમુક મહત્વપૂર્ણ ફાયદાઓનાં વિશે બતાવવા જઈ રહ્યા છીએ.
એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપુર
લીવર માટે નારિયેળ પાણીને ખૂબ જ ફાયદાકારક બતાવવામાં આવ્યું છે. હકીકતમાં નારિયેળ પાણીમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે લીવરમાંથી ઘણા પ્રકારના ઝેરી પદાર્થની ગતિ વિધિ ઓછી કરીને બહાર કાઢવામાં મદદ કરે છે. આ રીતે નારિયેળ પાણી લીવરને સ્વસ્થ રાખે છે. દરેક વ્યક્તિએ તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
હાઈ બીપીમાં મદદગાર
હાઈ બ્લડપ્રેશર વાળાને પણ નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝના મેડિકલ જર્નલમાં એક શોધ રિપોર્ટના અનુસાર નારિયેળ પાણીથી હાઇ બીપી કંટ્રોલ થાય છે. આ શોધ થોડા વર્ષો પહેલાં કરવામાં આવી હતી.
ઓછું કરે છે હૃદય રોગનું જોખમ
નારિયેળ પાણી પીવાથી હૃદયરોગ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. તેના સેવનથી બૈડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ મળે છે, એટલું જ નહી તેના સેવનથી હાઈપર ટેન્શન અને સ્ટ્રોકનું પણ જોખમ ઓછું થાય છે.
વજન ઘટાડવામાં મદદગાર
વજન ઓછું કરવામાં પણ નારિયેળ પાણીને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. હકીકતમાં તેમાં કેલરી ના બરાબર હોય છે અને તેને પચાવવામાં પણ સરળ હોય છે. તેમાં અમુક એવા તત્વો મળી આવે છે, જે વજન અને મેદસ્વીપણું ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનું દરરોજ સેવન કરવાથી તમને ફાયદો જોવા મળશે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી સૌથી વધારે ફાયદો મળે છે. તે તમને ઊર્જા પ્રદાન કરીને તમારી સુસ્તીને પણ દૂર રાખે છે.
ચપટીમાં ભગાડે માથાનો દુખાવો
મોટાભાગની માથું દુખાવાની સમસ્યા ડીહાઇડ્રેશનનાં કારણે થાય છે. ત્યાં સુધી કે માઈગ્રેન પણ ડિહાઇડ્રેશનનાં લીધે થાય છે. તેવામાં નારિયેળ પાણી પીવાથી શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઇટ્સ પહોંચે છે, જેના લીધે ડિહાઇડ્રેશનનું સ્તર ઓછું થવા લાગે છે.
પથરીની સમસ્યામાંથી મળે છે છુટકારો
પથરીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકોએ પણ નારિયળ પાણીનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તે યુનિયન ઈન્ફેક્શનને દૂર કરે છે. હકીકતમાં દરરોજ નારિયેળ પાણી પીવાથી પથરી ઓગળવા લાગે છે અને ધીમે ધીમે પેશાબ નળીમાંથી બહાર નીકળી જાય છે.