પાર્ટનરની સાથે બેડરૂમમાં ના કરો આવી હરકતો, તૂટી શકે છે સંબંધ

Posted by

બેડરૂમને પતિ-પત્નિનાં રોમાન્સ માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. બેડરૂમ એક એવી જગ્યા હોય છે જ્યાં લોકો સૌથી વધારે સમય પસાર કરતા હોય છે. પ્રેમ ભરી વાતો કે તકરાર મોટાભાગે આ જગ્યા પર થાય છે. કોઇપણ સંબંધમાં એકબીજા પ્રત્યે પ્રેમ સીવાય વિશ્વાસ ખૂબ જ મહત્વ રાખે છે. જો એકબીજા પ્રત્યે વિશ્વાસ ના હોય તો લડાઈ-ઝઘડાઓ ચાલતા રહે છે. જો આ લડાઈ-ઝઘડાઓનો ઉકેલ જલ્દી ના આવે તો તેની સીધી અસર તમારા સંબંધ પર પડે છે, તેથી આજે અમે તમને અમુક એવી વાતો જણાવીશું, જેને પતિ-પત્નિ કે કોઈ કપલે એકબીજા સાથે કરવાથી બચવું જોઈએ.

પરેશાનીનું પુનરાવર્તન

જો તમને કોઈ વાતનો તણાવ છે તો તેને તમારા પર હાવી ના થવા દો. વારંવાર પરેશાનીનું પુનરાવર્તન કરવાથી તમારા પાર્ટનરને ગુસ્સો આવી શકે છે. તે ઇરિટેટ થઈ શકે છે, તેથી સારું રહેશે કે સમસ્યાનો ઉકેલ લાવવો અને તેનું વારંવાર પુનરાવર્તન કરવું નહી.

જૂની વાતો

જૂની વાતોનું પુનરાવર્તન કરવાથી બચવું જોઈએ. દરેક વ્યક્તિનો પોતાનો એક ભૂતકાળ હોય છે, તેને વારંવાર પોતાની વચ્ચે લાવવો સારો હોતો નથી. વ્યક્તિ ખરાબ નથી હોતો પરંતુ તેમનો સમય ખરાબ હોય છે, જૂની વાતોને ભૂલી જવી જ યોગ્ય હોય છે. આ વાતોનો સંબંધ પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. કોઈપણ વાતને પ્રેમથી ખતમ કરવાની કોશિશ કરવી જોઈએ.

બીજાની વાત કરવી

બેડરૂમ એક એવી જગ્યા હોય છે જ્યાં કપલ પોતાના પ્રાઈવેટ મોમેન્ટ્સ પસાર કરે છે. તે ક્ષણ ખૂબ જ ખાસ હોય છે. આ સમયે પાર્ટનર પોતાની દરેક વાત અચકાયા વગર શેર કરે છે. આ અનમોલ ક્ષણોમાં કોઈ ત્રીજા વ્યક્તિને વચ્ચે લાવવો જોઈએ નહી. રોમાન્સની ક્ષણોને એન્જોય કરવી જોઈએ.

નારાજગી

જો તમારો પાર્ટનર કોઈ વાતને લઈને નારાજ હોય તો તેમને મનાવો. તેમના પર ગુસ્સો કરવાથી વાત વધારે બગડી શકે છે, તેથી સારું રહેશે કે તમે તે સમયે શાંત રહો અને થોડા સમય પછી તેમને મનાવો. જો એક શાંત રહેશે તો બીજાનો ગુસ્સો થોડીવાર પછી આપોઆપ ઓછો થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *