માં મોગલને પ્રસન્ન કરવા માટે આવી રીતે કરો પુજા, મણીધર બાપુએ જણાવી માતાજીને પ્રસન્ન કરવા માટેની રીત, માંગશો એ મળશે

Posted by

જો તમે પણ “માં મોગલ” માં વિશ્વાસ કરો છો તો પછી કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. થોડા જ સમયમાં તમને “માં મોગલ” નો ચમત્કાર જોવા મળશે.

ગુજરાતમાં દેવી-દેવતાઓના અનેક અલગ-અલગ મંદિરો આવેલા છે. આ મંદિરોમાં દેવી-દેવતાઓનાં ચમત્કારો વિશે આપણને ઘણીવાર સાંભળવા મળે છે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી પણ ખુબ જરૂરી છે. જો સાચા હૃદય અને શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો તેની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે. ભારતમાં માતાજીનાં અનેક રૂપો છે. “કબરાઉ ધામ” માં સ્થિત માં મોગલ પર ભક્તોને ઉંડી શ્રદ્ધા છે. આ ઉપરાંત કચ્છનાં કબરાઉ માં બિરાજમાન માં મોગલ અવારનવાર પોતાના ભક્તોને પરચાઓ આપતા રહે છે.

કબરાઉ ધામમાં બિરાજમાન માં મોગલ પોતાના ભક્તોની દરેક ઈચ્છા પુરી કરે છે. “માં મોગલ” ના શરણમાં આવેલ કોઈપણ ભક્ત ખાલી હાથે પાછો ફરતો નથી અને હસતો હસતો ઘરે જાય છે. કચ્છમાં બિરાજમાન “માં મોગલ” ના દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો જોવા મળે છે. ભક્તો માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. “માં મોગલ” ધામમાં ગાદી સંભાળી રહેલા મણિધર બાપુ અવારનવાર પોતાનાં ભક્તોની મુશ્કેલીઓ અને દુ:ખ દુર કરે છે અને તેમનાં જીવનમાં ખુશીઓ લાવે છે.

આજનાં આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે “માં મોગલ” ની પુજા કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે. જો તમે પણ “માં મોગલ” પ્રસન્ન કરવા માંગતા હોવ અને તેમનાં આશીર્વાદ લેવા માંગતા હોવ તો તમારે દિવો કરવાની પણ જરૂર નથી. તમારે ફક્ત તમારા કુળદેવીને જ દિવો કરવાનો છે અને પછી તમારા કુળદેવી અને “માં મોગલ” નું સ્મરણ કરો. બસ આટલું જ કામ કરવાથી “માં મોગલ” ની કૃપા તમારા પર થવા લાગશે.

કબરાઉ ધામમાં બિરાજમાન મણિધર બાપુએ જણાવ્યું હતું કે જો તમે તમારી કુળદેવી અને પછી “માં મોગલ” ને શ્રદ્ધાપુર્વક પ્રાર્થના કરશો તો તમારા બધા જ કામ પુરા થશે. સાચી શ્રદ્ધાથી “માં મોગલ” નું સ્મરણ કરવાથી તે પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક ઈચ્છા પુરી કરે છે. વળી “માં મોગલ” ને ગુગળ અને ધુપ ખુબ જ પસંદ છે. માટે તમારે ગુગળ અને ધુપ માં ગાયનું ઘી નાખીને દિવો કરવો જોઇએ. આટલું કરવાથી “માં મોગલ” પોતાનાં ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે અને તેમને દરેક મુશ્કેલીથી દુર રાખે છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી “માં મોગલ” ને યાદ કરે છે તો ભક્તોનાં જીવનનાં તમામ દુ:ખ અને મુશ્કેલીઓને દુર કરવા માટે સાક્ષાત “માં મોગલ” આવે છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી “માં મોગલ” ની માનતા રાખવામાં આવે તો તે ચોક્કસ પુરી થાય છે. બસ આટલું જ કરીને તમે પણ “માં મોગલ” ને પ્રસન્ન કરી શકો છો. જો તમે પણ “માં મોગલ” માં વિશ્વાસ કરો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. થોડા જ સમયમાં તમને માં “મોગલ” નો ચમત્કાર જોવા મળશે.