રામ સિતા જેવી આદર્શ જોડી બનાવવી હોય તો દરેક કપલે તેમની પાસેથી શીખવી જોઈએ આ ત્રણ વાતો

Posted by

૫ ઓગસ્ટના રોજ પી.એમ. નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ હેતુ પાયો રાખવામા આવ્યો. આ રામ મંદિરના ભૂમિપૂજનને જોઈને બધા જ રામ ભક્તો ખુશીથી પ્રફુલ્લિત થઈ ગયા હતાં. ભગવાન રામ અને માતા સિતામાં ઘણી એવી ખૂબીઓ હતી જેમાથી આપણે પણ ઘણું બધુ શીખી શકીએ છીએ. દરેક કપલ રામ સીતાની જોડીને પોતાનો આદર્શ માને છે. જો તમે તમારી લગ્નજીવનને સુખી રાખવા ઈચ્છો છો તો રામ-સિતાના વૈવાહિક જીવનમાંથી ઘણી કામની વાતો શીખી શકો છો.

ત્યાગ

ભગવાન રામે પારિવારિક સુખ માટે  પોતાનું રાજપાઠ છોડી દીધું હતું. તે ૧૪ વર્ષના વનવાસ પર નીકળી ગયા હતા. તે જોઈને સિતા માતાએ પણ પોતાની પત્નિ હોવાનો ધર્મ નિભાવ્યો હતો અને શ્રી રામની સાથે ૧૪ વર્ષ માટે વનવાસમા રહેવા ચાલ્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે સિતા માતાને વનવાસ માટે કહેવામાં આવ્યું નહોતું. પરંતુ પોતાના પતિનો સાથ આપવા માટે તેમણે પણ પોતાની ભૌતિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરી દીધો હતો.

બસ આ જ ત્યાગ વાળી ભાવના આજના જમાનામાં પણ લાગુ થવી જોઈએ. હવે તમારા લગ્ન લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, એક વાત તો નક્કી છે કે લગ્ન પછી યુવક અને યુવતી બંનેએ અમુક ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. જો તમે આ ત્યાગને જીવનસાથી સાથે એડજેસ્ટ નથી કરી શકતા તો તમારા લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. એટલે ભગવાન રામ-સિતાની જેમ જ તમારે પણ પોતાના વૈવાહિક જીવનમાં તેમનું અનુસરણ જરૂર કરવું જોઈએ.

નિસ્વાર્થ પ્રેમ

સાચો પ્રેમ એ હોય છે જેમાં તમારો કોઈ મતલબ છુપાયેલ હોતો નથી. જે પૂર્ણ નિસ્વાર્થ ભાવના સાથે કરવામાં આવેલ હોય છે. ભગવાન રામ અને માતા સિતા ની વચ્ચે પણ કંઈક આવો જ પ્રેમ હતો. તેમણે એકબીજા સાથે કોઈપણ અંગત સ્વાર્થ વગર લગ્ન કર્યા હતા. જોકે આજના મોડર્ન જમાનામાં અમુક લોકો પોતાના અંગત સ્વાર્થના લીધે કોઈની સાથે પ્રેમ કે લગ્ન કરતા હોય છે. ઉદાહરણ તરીકે કોઈને પૈસાની લાલચ હોય છે તો કોઈ દેખાડો કરવા માટે સુંદર અને પરફેક્ટ લાઇફ પાર્ટનરની તલાશ કરતાં હોય છે. જો તમારા પ્રેમમાં પણ કોઇ અંગત સ્વાર્થ છે તો તે સંબંધ જલ્દી તૂટી શકે છે. તેથી લગ્ન તેની સાથે કરો જેની સાથે તમને નિસ્વાર્થ પ્રેમ હોય.

ઈમાનદારી

ભગવાન રામ અને માતા સીતાના સંબંધમાં પૂર્ણ ઈમાનદારી હતી. તે હંમેશા એકબીજાને સાચો પ્રેમ કરતા રહ્યા. બીજી કોઈ લાલચમાં આવ્યા નહિ. તેમણે એકબીજાને જે વચન આપ્યું હતું તેને નિભાવ્યું. માતા સિતાને બચાવવા માટે શ્રી રામ દરિયો પાર કરીને ગયા હતા. તેમણે ઘણા ખતરનાક રાક્ષસો સાથે લડાઈ પણ કરી હતી. તો બીજી તરફ રાવણની લંકામાં રહેવા છતાં પણ માતા સીતાના મનમાં દરેક ક્ષણ શ્રી રામ વસતા હતા.

આજના જમાનામાં પણ લોકોને પોતાના સંબંધોમાં ઈમાનદારી, વફાદારી અને કમિટમેન્ટ પર ફોકસ કરવું જોઈએ. જો તમે આ ચીજો નુ અનુસરણ કરું છું તો તમારા લગ્નજીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા આવશે નહી. તમારે બસ તમારા પાર્ટનરને જીવનની દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનો છે. તેમના દરેક દુઃખ અને તકલીફમાં તેમની સાથે રહેવાનું છે. પછી દરેક લોકો તમારી જોડીનું પણ ઉદાહરણ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *