રાવણે બતાવ્યા છે ધનવાન બનવાનાં આ ૭ ગુપ્ત મંત્ર, અજમાવી જુઓ અને બાદમાં જુઓ કેવું બદલે છે તમારું નસીબ

Posted by

લંકાપતિ રાવણ એક રાક્ષસ હતો. એ તો બધા જ લોકો જાણે છે પરંતુ શું તમે જાણો છો કે તે એક મહાન પંડિત પણ હતો. રાવણ એક વિદ્વાન તાંત્રિક, જ્યોતિષી અને ભગવાન શિવજીનો પરમ ભક્ત પણ હતો. રાવણે જ શિવતાંડવ સ્ત્રોતની રચના કરી હતી. રાવણ સંહિતામાં તંત્ર મંત્ર વિશે લખેલું છે. તેમાં રાવણે દેવતા અને યક્ષ-યક્ષિણી પાસેથી ક્યાં પ્રકારે લાભ લઈ શકાય છે, એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાંથી ધનવાન બનવાનાં મંત્ર વિશે પણ રાવણે લખ્યું છે. તો ચાલો આજે આપણે જાણી લઈએ આખરે તે મંત્ર ક્યાં-ક્યાં છે.

દરરોજ 108 વાર કરો આ મંત્રનો જાપ

“ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવાણાય, ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા”.

જેને પણ પૈસાની તંગી રહે છે, તેણે દરરોજ ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરવો. આવું કરવાથી ધન સંબંધિત બધી સમસ્યાનું સમાધાન થાય છે. એવું રાવણ સંહિતામાં કહેવામાં આવ્યું છે .

વિજયા દશમીનાં દિવસે કરો આ મંત્રનો જાપ

“લાં લાં લાં લંકાધિપતયે લીં લીં લીં લંકેશ લું લું લું લોહ જીવ્હા, શીઘ્રં આગચ્છ આગચ્છ ચંદ્રહાસ ખડેન મમ શશ્રુન વિરદારય વિદારય મારય મારય કાટય કાટય હું ફટ સ્વાહા”

રાવણ સંહિતા અનુસાર આ મંત્ર રાવણે જાતે લખ્યો છે. વિજયા દશમીનાં દિવસે રાવણ દહન સમયે જે પણ વ્યક્તિ ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરે છે, તેને પણ રાવણની જેમ ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતા છે.

૧૦૦૦ વાર કરો આ મંત્રનો જાપ

क्लीं ह्रीं ऐं ओं श्रीं महा यक्षिण्ये सर्वैश्वर्यप्रदात्र्यै नमः॥
इमिमन्त्रस्य जप सहस्त्रस्य सम्मितम्।
कुर्यात् बिल्वसमारुढो मासमात्रमतन्द्रितः॥

દરરોજ બીલીનાં વૃક્ષ પર ચડીને એક મહિના સુધી આ મંત્રનો ૧૦૦૦ વાર જાપ કરવાનો નિયમ છે. જ્યારે આ જાપ પુરો થઈ જાય છે તો બ્રાહ્મણ અને કુંવારી કન્યાને ભોજન કરાવો. રાવણ સંહિતામાં કહેવામાં આવ્યું છે કે તેનાથી આર્થિક કષ્ટ દુર થાય છે.

સવા મહિના સુધી કરો આ મંત્રનો જાપ

सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।

રાવણ દ્વારા રચિત આ મંત્રને ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ સવા મહિના સુધી એક જ સ્થાન પર, એક જ સમયે દરરોજ કરો. આવું કરવાથી તમને ફળ તરત મળે છે.

ગુમાવેલા પૈસા માટે આ મંત્રનો જાપ કરો

नमो विघ्नविनाशाय निधि दर्शन कुरु कुरु स्वाहा।

આ મંત્રનો જાપ જો તમે સવા મહિનામાં ૧૦,૦૦૦ વાર કરી લો છો તો તમને તમારું ગુમાવેલા, ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. એવું રાવણ સંહિતામાં જણાવવામાં આવ્યું છે.

શુભ અવસર પર જ કરો આ મંત્રનો જાપ

ह्रीं श्रीं क्लीं महालक्ष्मी, महासरस्वती ममगृहे आगच्छआगच्छ ह्रीं नम:

રાવણ સંહિતા અનુસાર આ મંત્રનો ૧૦૮ વાર જાપ શુભ અવસર પર જ કરવો જોઈએ. મકરસંક્રાંતિ, હોળી, અક્ષય તૃતીયા, કૃષ્ણ જન્માષ્ટમી, મહાશિવરાત્રી અને દિવાળી જેવા શુભ અવસર પર મધ્યરાત્રીમાં આ મંત્રનો જાપ કરવો જોઈએ. સૌથી પહેલા આ મંત્રને કુમકુમ થી થાળી પર લખો અને બાદમાં જાપ કરો. તેનાથી તમારી આર્થિક તંગી હંમેશા માટે દુર થઈ જાય છે.

દિવાળીનાં આગલા દિવસે આ મંત્રનો જાપ કરો

नमो भगवती पद्म पदमावी ऊँ ह्रीं ऊँ ऊँ पूर्वाय दक्षिणाय उत्तराय आष पूरय सर्वजन वश्य कुरु कुरु स्वाहा

દિવાળીનાં દિવસે માતા લક્ષ્મીની પુજા વિધિ-વિધાનથી કરો. ત્યારબાદ બીજા દિવસે સવારે બેડમાંથી ઉતરતા પહેલા આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરી લો અને ૧૦ દિશામાં ૧૦-૧૦ વાર ફુંક મારો. આવું કરવાથી ચારેય તરફથી પૈસા આવવા લાગશે. આ ઉપાય પણ રાવણ સંહિતામાં જણાવવામાં આવ્યો છે.