હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ ને શુભ કાર્ય કરવા માટે અને દાન આપવા માટે શુભ મુહુર્ત માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ તિથિ બ્રહ્માંડનાં પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. જો આ દિવસે તમે પોતાના ધનમાં વધારો કરવા માંગો છો તો તમારે આ ૬ મંત્રો નો જાપ જરૂર કરવો જોઈએ. તેનાથી તમારી ધન સંપત્તિમાં વધારો થવાની સાથે જ આવકનો અઢળક પ્રવાહ આવવા લાગશે. તો ચાલો આપણે જાણી લઈએ કે તે ૬ મંત્ર ક્યાં છે.
લક્ષ્મી બીજ મંત્ર – ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः॥
જો તમે અક્ષય તૃતીયાનાં દિવસે આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરો છો તો માતા લક્ષ્મી હંમેશા તમારા પર મહેરબાન રહેશે અને જીવનભર તેમનાં આશીર્વાદ વરસતા રહેશે. આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તથા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દુર થાય છે સાથે જ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે.
મહાલક્ષ્મી મંત્ર – ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥
જો અખાત્રીજના દિવસથી શરૂ કરીને દરરોજ સવારનાં સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે તો તમારી ઉપર રહેલું તમામ દેણું ઉતરી જાય છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની ઉપર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે અને તેમનાં ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
લક્ષ્મી ગાયત્રી મંત્ર – ॐ श्री महालक्ष्म्य च विद्महे विष्णु पत्न्या च धीमही तन्नो लक्ष्मी प्रचोदायत ॥
જો તમે પોતાના જીવનમાં માન-સન્માન, ભૌતિક સુખ સગવડતાઓ, પદ-પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે મેળવવા માંગો છો તો તમારે આ લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમને તમારા જીવનમાં અઢળક ધન-સંપતિની પ્રાપ્તિ થાય છે. આદિ ગુરુ શંકરાચાર્યએ કનકધારા સ્ત્રોતની રચના કરેલી હતી. અખાત્રીજના દિવસે આ મંત્રનો જાપ કરવાથી પૈસાની આવકમાં ધરખમ વધારો થાય છે.
જો તમે અઢળક ધન સંપત્તિ મેળવવા માંગો છો તો આ સ્ત્રોતનો જાપ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે દરરોજ કનકધારા સ્ત્રોતનો જાપ અતુટ શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે, તેમનાં જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પણ પૈસાની તંગી ઉભી થવા દેતા નથી.
વિષ્ણુ પુરાણમાં પણ લક્ષ્મી સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. લક્ષ્મી સ્ત્રોત મંત્રની રચના દેવરાજ ઇન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. આ સ્ત્રોતની રચના કરવાનાં લીધે જ દેવરાજ ઇન્દ્રને તેમનું ગુમાવેલું સ્વર્ગલોક અને કીર્તિ પ્રાપ્ત થયેલ. લક્ષ્મી સ્ત્રોતનો જાપ કરતા પહેલા ઘરને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ અને માતા લક્ષ્મીની ચાંદીની મુર્તિને ઘરની ઈશાન દિશામાં રાખવી જોઈએ. સાથે જ માતા લક્ષ્મીનાં શ્રી યંત્રની સ્થાપના પણ કરવી જોઈએ.
દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો ઋગ્વેદ ગ્રંથમાં શ્રી સુક્ત સ્ત્રોતનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. આ સ્ત્રોતનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા પોતાનાં ભક્તો પર રહે છે. અખાત્રીજ અને દિવાળીનાં દિવસે આ મંત્રનો જાપ કરવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે.