સલમાન-આમીર સહિત ૨૦૨૦ એ ખરાબ કરી નાખી આ ૫ સિતારાઓની હાલત, જાણો શું હતું કારણ

Posted by

વર્ષ ૨૦૨૦ આમ તો પૂરી દુનિયા માટે નિરાશા, કઠણાઈ અને ઉથલપાથલ વાળું રહ્યું છે, જોકે આજે અમે તમારી સાથે બોલિવૂડનાં વિશે વાત કરીશું. દેશ-દુનિયાની સાથે જ વૈશ્વિક મહામારી કોરોનાએ હિન્દી સિનેમાની પણ ખૂબ જ ખરાબ હાલત કરી નાખી છે. વર્ષના શરૂઆતનાંમહિનાઓમાં જ ભારતમાં આ વાઇરસ એ પ્રવેશ કરી લીધો હતો. આ વર્ષે લોકડાઉન બાદથી સિનેમા ઘરોમાં હજુ સુધી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઇ શકી નથી પરંતુ હવે સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થવા લાગી છે. સિનેમાહોલ ખુલવા લાગ્યા છે. દર્શકો પણ સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે.

આ વર્ષે ઘણા મોટા કલાકારોને પડદા પર જોવા માટે દર્શકો તરસી ગયા છે. જે સિતારાઓ સંપૂર્ણ વર્ષ પોતાની ફિલ્મો દ્વારા ધૂમ મચાવતા હતા, તે આ વર્ષે એકપણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. ચાલો આજે અમે તમને બોલિવૂડના ૫ એવા બોલિવૂડ કલાકારોનાં વિશે જણાવી દઈએ કે જેમનું આ વર્ષ ફિલ્મોના મામલામાં સંપૂર્ણ રીતે ખરાબ થઈ ચૂક્યું છે. આ કલાકારોની એકપણ ફિલ્મ આ વર્ષે આવી નથી. તો ચાલો જાણી લઈએ તે ૫ સિતારાઓ કોણ કોણ છે.

આમિર ખાન

વર્ષમાં ફક્ત એક જ પરંતુ મોટી અને શાનદાર ફિલ્મ લાવનાર આમીર ખાનનો આ ફોર્મ્યુલા આ વર્ષે સફળ થઇ શકયો નહી. આ વર્ષે તેમની કોઈપણ ફિલ્મ રીલિઝ થઈ શકી નહી. પહેલા ખબરો મળી રહી હતી કે આમિર ખાન આ વર્ષે ૨૦૨૦ માં ક્રિસમસનાં અવસર પર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની સાથે મોટા પડદા પર જોવા મળી શકે છે પરંતુ કોરોના વાયરસ એ તેમની આ આશાઓ પર પાણી ફેરવી દીધું. આમિર ખાન અને કરિના કપૂર ખાનની આ ફિલ્મની શૂટિંગ પણ પુરી થઈ શકી નહોતી. જોકે પાછલા દિવસોમાં આમિર અને કરીનાએ લોકડાઉન ખુલ્યા બાદ પોતાની આ પ્રતિષ્ઠિત ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હવે ક્રિસમસનાં અવસર પર વર્ષ ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે.

રણવીર સિંહ

હાલમાં જ રણવીર સિંહએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ૧૦ વર્ષ પૂરા કર્યા છે. રણવીરસિંહ નવી પેઢીના સૌથી ચર્ચિત અને ફેમસ કલાકાર છે. તેમને પોતાની ઉર્જાવાન ઇમેજ માટે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે રણવીરની એકપણ ફિલ્મ રીલિઝ થઈ નથી. આ વર્ષે તેમની ફિલ્મ “૮૩” ૧૦ એપ્રિલના રોજ રીલિઝ થનારી હતી. પરંતુ તે પહેલાં જ દેશમાં લોકડાઉન લાગી ગયું હતું. જણાવી દઈએ કે રણવીર સિંહની ફિલ્મ “૮૩” ની ચર્ચાઓ ફિલ્મના એલાન સાથે જ થઈ રહી હતી. ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્ષ ૧૯૮૩માં જીતવામાં આવેલ પોતાના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. તેમાં રણવીરસિંહ પૂર્વ મહાન ભારતીય કપ્તાન કપિલદેવનાં પાત્રમાં હશે. સાથે જ જણાવી દઈએ કે આ વર્ષે રણવીરની ફિલ્મ જયેશભાઈ જોરદાર પણ રિલીઝ થઈ શકી નથી.

શાહિદ કપૂર

શાહિદ કપૂર માટે પણ ફિલ્મોની બાબતમાં આ વર્ષ સારું રહ્યું નથી. ક્રિકેટ પર આધારિત તેમની ફિલ્મ “જર્સી” આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાએ તેમની આશા પર પાણી ફેરવી દીધું. જણાવી દઈએ કે શાહિદએ પાછલા દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી ચૂક્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે તેમની ફિલ્મ “જર્સી” વર્ષ ૨૦૨૧નાં શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

સલમાન ખાન

અભિનેતા સલમાન ખાન માટે પણ આ વર્ષ ખરાબ રહ્યું છે. તેમની પણ આ વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. તે દર વર્ષે ઓછામાં ઓછી બે ફિલ્મોમાં તો જોવા મળે જ છે. જોકે આ વર્ષે તેમની એકપણ ફિલ્મ રીલિઝ થઈ શકી નથી. ઈદ પર દર વર્ષે ધમાલ મચાવનાર અભિનેતાનો આ ફોર્મ્યુલા આ વર્ષે કામ કરી શક્યો નહી. સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” આ વર્ષે ઈદના અવસર પર આવવાની હતી પરંતુ આ ફિલ્મની શૂટિંગ આ સમય સુધી પૂરી થઈ શકી નહી. પાછલા દિવસોમાં જ સલમાન અને દિશા પટણીએ પોતાની આ ફિલ્મની શૂટિંગ પૂરી કરી છે. સાથે જ તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં જ સલમાનની નવી ફિલ્મ “અંતિમ” ને લઈને જાણકારી સામે આવી છે. સલમાન આ ફિલ્મમાં એક શીખ વ્યક્તિનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમાં સલમાન ખાનના જીજા આયુષ શર્મા પણ નજર આવશે.

શાહરુખ ખાન

આ સૂચિમાં છેલ્લું અને પાંચમું નામ છે અભિનેતા શાહરૂખ ખાનનું. શાહરૂખ ખાનને પડદા પર જોવા માટે તેમના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાન માટે ફિલ્મોના મામલામાં આ વર્ષ જ નહી પરંતુ વર્ષ ૨૦૧૯ પણ ખરાબ જ રહ્યું હતું. શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો ૨૦૧૮ ના અંતમાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ હતી. શાહરૂખ ખાનને ૨ વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે. ૨ વર્ષથી તે કોઈપણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. દર્શકોને આશા હતી કે આ વર્ષે શાહરુખ ખાન કોઈ ફિલ્મમાં નજર આવશે. જોકે આ વખતે પણ એવું થઈ શક્યું નહીં પરંતુ ફેન્સ માટે સારા સમાચાર છે કે અભિનેતાએ પાછલા દિવસોમાં જ પોતાની નવી ફિલ્મ “પઠાન” ની શૂટિંગ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *