સંજય દત્તનું અંગત જીવન ખુલ્લા પુસ્તક જેવુ છે. જીવનમાં આવેલ ઘણા ઉતાર-ચડાવ બાદ આજે આ અભિનેતા આખરે સુખી જીવન જીવી રહ્યો છે. આ વાત બધા જાણે છે. ખાસ કરીને માન્યતાએ જે રીતે સંજય દત્તને બદલ્યા. તે દુનિયાએ જોયું. પરંતુ તેના માટે આ અભિનેતાની પત્નીએ ઘણા મોટા પગલાં ભરવા પડ્યાં. સંજય દત્તે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ખાસ કરીને પ્રેમ અને લગ્નજીવનમાં તેમણે ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોયા છે. તેવામાં જ્યારે માન્યતા તેમના જીવનમાં આવી તો બંનેએ એકબીજાને જે રીતે સપોર્ટ કર્યો. તે બધા જ કપલ્સ માટે પ્રેરણારૂપ છે.
માન્યતાએ ખુદ ઘણા ઇન્ટરવ્યૂમાં એવી વાતો જણાવી હતી જે જણાવે છે કે સંજય દત્તને બચાવવા માટે અને તેને ખુશી આપવા માટે તેમણે ક્યાં ક્યાં પગલાં ભર્યા હતાં. જેના લીધે તેની છાપ પણ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ વાતોને જાણ્યા બાદ કદાચ ઘણી પત્નીઓ પણ માન્યતાથી પોતાને જોડવાનો પ્રયત્ન કરશે. કારણકે દરેક પત્ની પોતાના પતિને ખોટા લોકોથી બચાવવાથી લઈને તેમને ખુશ કરવા માટે કઇપણ કરવાનો પ્રયત્ન કરતી હોય છે.
સંજયને કંગાળ કરવાનો પ્રયત્ન
માન્યતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે સંજય દત્તે જેટલા પૈસા કમાવ્યા હતા. તે બધા જ ખતમ થઈ ગયા હતાં. તેમણે જણાવ્યુ હતું કે અભિનેતાના જીવનમાં એવા ઘણા લોકો હતાં જે મિત્રતાના નામે તેમનો ફાયદો ઉઠાવી રહ્યા હતાં. માન્યતાએ સંજયને આ જાળમાં વધારે ફસાવાથી બચાવવા માટે કડક પગલું ભર્યું હતું અને તે દિવાલની જેમ બંને પક્ષોની વચ્ચે આવી ગઈ. તેમણે પોતાના પતિને આ મિત્રોથી દૂર કર્યા. આ કારણથી ઘણા લોકો તેનાથી નારાજ થયાં અને તેમના વિષે ઘણા પ્રકારની વાતો કરવા લાગ્યા. માન્યતાએ જણાવ્યુ કે તે લોકો મારાથી નાખુશ હતા કારણકે મારા વચ્ચે આવી જવાથી તેમની પાર્ટીઓ ખતમ થઈ ગઈ હતી. જેના પર સંજય દત્ત પોતાના પૈસા ખર્ચ કરતો હતો.
આવા મિત્રોથી દૂર જ સારા
જો તમારા પતિના જીવનમાં પણ આવા મિત્રો કે સંબંધીઓ છે જે તમને એવું લાગી રહ્યું હોય કે તે પૈસા કે કોઈ અન્ય બાબતમાં તેમનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો તમારે પણ માન્યતાની જેમ કોઈ કઠોર પગલું ભરવાથી જરાપણ મોડુ કરવું ના જોઈએ. આ લોકો ભલે તમારાથી નારાજ થઈ જાય પરંતુ કમ સે કમ આવા લોકોને દૂર કરવાથી તમે તમારા જીવનને વધારે સારી રીતે જીવી શકશો.
માન્યતાના ભૂતકાળને લઈને સંજયને ઉશ્કેરવાનો પ્રયાસ
માન્યતાના પ્રથમ લગ્ન તેમના માટે ખરાબ સ્મૃતિ સમાન છે. છૂટાછેડા પછી તે જ્યારે સંજયના જીવનમાં આવી તો લોકોએ તેમના ભૂતકાળને લઈને ઘણી એવી પ્રકારની વાતો કરીને અભિનેતાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. માન્યતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, તે મારા ભૂતકાળને લઈને મારી વિરુદ્ધ સંજયને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સંજુ જાણતા હતા કે હું શું છું અને મારો ભૂતકાળ શું હતો. તેથી લોકો જ્યારે આવું કરતાં હતાં તો તે બસ હસીને વાતને ટાળી દેતા હતાં.
પતિ-પત્ની વચ્ચે ના હોવું જોઈએ રહસ્ય
તે બતાવે છે કે જો પતિ અને પત્નિ પોતાના જીવનથી જોડાયેલ ચીજોને એકબીજાને શેર કરે અને કોમ્યુનીકેશન ગેપ ના આવવા દે તો કોઈપણ ત્રીજું વ્યક્તિ કેટલીપણ કોશિશ કરી લે તો પણ તે કપલની વચ્ચે તકરાર ઊભી ના કરી શકે. માન્યતા શરૂઆતથી જ આ અભિગમને ફોલ્લો કરતી હતી અને તેણે સંજયની સાથે એક એક ચીજ શેર કરી હતી. જેનાથી તેના સંબંધનો પાયો આટલો મજબૂત બની ગયો કે કોઈપણ ગેરસમજ તેમની વચ્ચે ના આવી શકી.
પતિના જીવન પર તેમનો હક્ક
માન્યતાએ જે રીતે સંજય દત્તના જીવનને પ્રભાવિત કર્યું છે. તે આજે બધાની સામે છે. તેને લઈને ઘણા લોકો કોમેંટ્સ કરે છે કે તેમણે અભિનેતાના જીવનને પોતાના કાબુમાં કરી રાખ્યું છે. આ આક્ષેપ પર માન્યતાએ બોલતી બંધ કરનાર જવાબ આપ્યો હતો. તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પત્નિ હોવાના લીધે મારો પણ પતિના જીવન પર હક્ક છે. તે કોઈ વેશ્યા હોય કે રાજકુમારી દરેક પત્નીનો પોતાના પતિ પર સમાન અધિકાર હોય છે.
પત્નિનો ગુલામ
ઘણીવાર એવું જોવા મળે છે કે એવા પતિ જે પોતાની પત્નીની સલાહ માને છે અથવા તો તેમનો આદર કરે છે. તેમને જોરૂ નો ગુલામ કહી દેવામાં આવે છે. ઘણીવાર પત્નીઓ સામે પણ આ રીતે તેની મજાક ઉડાવવામાં આવે છે. પરંતુ હકીકત તો એ છે કે તમારે તેનાથી પ્રભાવિત થવાની કોઈ જરૂર હોતી નથી. એવું એટલા માટે કે આ મજાક ઉડાવવાળા તો મજાક કરીને ચાલ્યા જશે પરંતુ તમારી પત્ની સાથે તો જીવવાનું તો તમારે જ છે. તેવામાં તમારા સંબંધ માટે શું સારું છે તે તમારે જ નક્કી કરવાનું હોય છે.