આપણે બધા જ જાણીએ છીએ કે પાણી પીવું આપણા જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે. જો વ્યક્તિએ જીવિત રહેવું હોય તો તેમના માટે પાણી ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો તમારે દરરોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. ફક્ત આટલું જ કરવાથી તમે પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો અને હજારો બીમારીઓથી પોતાને બચાવી શકો છો.
પાણી પીવાથી તમારી ત્વચા ખૂબ જ વધારે ચમકવા લાગે છે અને તમારા ચહેરા પર કોઈપણ પ્રકારના ખીલ કે ડાઘ જોવા મળતા નથી. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે સવારે ઊઠીને વાસી મોઢે હૂંફાળું પાણી પીવાથી શું ફાયદાઓ તમને પ્રાપ્ત થાય છે. આજે અમે તમને અમારા લેખના માધ્યમથી તેના વિશે જ જણાવીશું. રાત્રે સૂતા સમયે પણ ગરમ પાણી પીવું આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
તમારા બધા લોકોમાંથી અમુક એવા લોકો હશે જે આ વાતથી અજાણ હશે. આયુર્વેદિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે દરરોજ સૂવાના ૧૫ મિનિટ પહેલા એક ગ્લાસ ગરમ પાણી પી ને સુવો છો તો તમને ઘણા પ્રકારના શારીરિક ફાયદાઓ પ્રાપ્ત થાય છે. તમને સારી ઉંઘ આવે છે અને ઘણા પ્રકારના ટેન્શનથી દૂર રહો છો. સાથે જ શારીરિક દુખાવો જેમ કે શરદી, ઉધરસ વગેરે કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી નથી. સવારે ઉઠીને ખાલી પેટ વાસી મોઢે પાણી પીવાથી પણ ઘણા બધા ફાયદાઓ પ્રાપ્ત થાય છે. તો ચાલો તેમના વિષે જાણી લઈએ વિસ્તારથી.
જ્યારે તમે સવારે ઉઠો છો તો તમારા મોઢામાં લાળ બનેલી હોય છે અને કહેવામાં આવે છે કે ખાલી પેટ પાણી પીવાથી તે લાળ તમારા પેટમાં ગયા બાદ ઘણા પ્રકારના રોગોથી બચાવે છે કારણ કે તે એન્ટિસેપ્ટિક ની જેમ આપણા શરીર માટે કાર્ય કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લાળ ૯૮% પાણીથી જ બનેલી હોય છે અને ૨% ભાગ એજાઈમ બલગમ ઈલેક્ટ્રીક અને જીવાણુરોધી યૌગિક જેવા તત્વો રહેલા હોય છે પરંતુ જ્યારે આપણા મોઢામાં પાણી આવે છે તો તે પદાર્થને આપણે લાળ કહીએ છીએ. તે આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત રાખવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ફાયદાઓ વિશે જ અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ છીએ.
લાળથી થતા ૬ ફાયદાઓ
- એકજિમાંના દર્દીઓ માટે લાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કારણ કે તે એક એન્ટીસેપ્ટિક ની જેમ કામ કરે છે જે એક મગજ થી પીડિત લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે.
- જો તમને સોરાયસીસ ની સમસ્યા હોય તો તમે પોતાની લાળને છ મહિનાથી લઈને એક વર્ષ સુધી લગાવો. આવું કરવાથી તમને આ બિમારીમાંથી છૂટકારો મળી જશે. સોરાયસીસમાં તમારી ત્વચા પર લાળની અદભૂત શક્તિ જોવા મળે છે.
- જો તમારા શરીરમાં કોઇ જગ્યાએ દાઝી ગયા હોય તો લાળ લગાવવાથી તમને ખૂબ જ વધારે ફાયદો મળે છે. ૫ થી ૧૦ દિવસ તેને લગાવશો તો તમને પરિણામ જોવા મળશે.
- તમે ઘણા લોકોની આંગળીઓની વચ્ચે ઇન્ફેક્શન પણ જોયું હશે. જો તમે તેમાં લાળને લગાવો છો તો તે ઇન્ફેક્શનથી તમને ખૂબ જ જલ્દી છુટકારો મળી જાય છે.
- જો તમારી આંખમાં કોઈપણ પ્રકારની એલર્જી કે આંખ આવતી હોય તો લાળનાં ઉપયોગથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
- જો તમને પોતાના પેટમાં જંતુઓની સમસ્યા હોય તો તમારે સવારે ઉઠીને ૧ થી ૨ ગ્લાસ પાણી પી લેવું જોઈએ. આવું કરવા પર તમને આ સમસ્યામાંથી ખૂબ જ જલ્દી છુટકારો મળી જશે.