શા માટે અમુક લોકો હોય છે અમીર તો અમુક લોકો હોય છે ગરીબ, માં લક્ષ્મી એ ઈન્દ્રને જણાવી હતી આ વાત

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. માં લક્ષ્મીની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે અને વ્યક્તિની પાસે ક્યારેય પણ ધનની કમી થતી નથી. જોકે ઘણા એવા લોકો પણ હોય છે જે માતા લક્ષ્મીની પૂજા તો કરે છે પરંતુ તેમના જીવનમાં હંમેશા ધનનો અભાવ રહે છે અને તે હંમેશા ગરીબ રહે છે.

આખરે શા માટે માં લક્ષ્મી અમુક લોકોના જીવનમાં ધનની વર્ષા કરી દે છે તો અમુક લોકોને સદાય ગરીબ જ રાખે છે ? આવા સવાલો ઘણા લોકોના મનમાં આવે છે. શાસ્ત્રોના અનુસાર એકવાર ઇન્દ્ર દેવના મનમાં પણ આ જ સવાલ આવ્યો હતો કે શા માટે કોઈ અમીર રહે છે અને કોઇ ગરીબનું ગરીબ જ રહે છે ? ઈન્દ્રદેવ પોતાના આ સવાલનો જવાબ મેળવવા માટે માં લક્ષ્મીની પાસે ગયા.

માં લક્ષ્મી અને ઇન્દ્ર દેવની કથા

માં લક્ષ્મીની પાસે જઈને ઇન્દ્ર દેવે તેમને કહ્યું, માં તમને ધનની દેવી કહેવામાં આવે છે. જે લોકો તમારી પૂજા કરે છે તેમના પણ તમારી કૃપા જળવાઈ રહે છે. પરંતુ શા માટે અમુક લોકો તમારી પૂજા કરવા છતાં પણ ગરીબના ગરીબ જ રહે છે. તમે શા માટે આવા લોકોના ઘરમાં બિરાજમાન થતા નથી.

ઇન્દ્ર દેવનાં આ સવાલને સાંભળીને માં લક્ષ્મીએ કહ્યું કે, તે સત્ય છે કે જે લોકો મારી પૂજા કરે છે તેમના પર મારી કૃપા થાય છે, પરંતુ ઘણા એવા લોકો પણ છે જે મારી પૂજા તો કરે છે પરંતુ તેમ છતાં પણ તેમના પર મારી કૃપા થતી નથી. જેના કારણથી તે ગરીબ જ રહે છે. મા લક્ષ્મી ઇન્દ્રદેવને કહ્યું કે દરેક વ્યક્તિ ગરીબ અમીર પોતાના કર્મોથી બને છે. તેથી જે લોકોના કર્મ ખરાબ હોય છે તે ભલે ગમે તેટલી પણ પૂજા કરી લે. તેમને તેમનું ફળ મળી શકતું નથી. તે જ પ્રકારે હું ક્યારેય પણ તે લોકોના ઘરમાં નિવાસ કરતી નથી જ્યાં હંમેશા લડાઈ થતી રહે છે. જે લોકોના ઘરમાં હંમેશાં ક્લેશ રહે છે તે મારી કેટલી પણ પૂજા કરી લે હું તેમના ઘરમાં બિરાજમાન થતી નથી. હું ફક્ત તે ઘરોમાં જ રહેવાનું પસંદ કરું છું જ્યાં શાંતિ હોય છે.

નથી હોતું મન સાફ

અમુક લોકો મારી પૂજા તો કરે છે પરંતુ તેમનું મન સાફ હોતું નથી તેથી તેમની પૂજાથી હું પ્રસન્ન થતી નથી અને તેમના જીવનમાં ધન ટકી શકતું નથી. લક્ષ્મી માતાએ ઈન્દ્રદેવની આગળ જણાવ્યું કે કોઈ વ્યક્તિ ભલે કેટલી જ મારી પૂજા અર્ચના કેમ ના કરી લે પરંતુ હું તે ઘરમાં રહી શકતી નથી જ્યાં અશાંતિ હોય. જ્યાં સુખ-શાંતિ હોય અને પરિવારમાં લોકો હળી-મળીને રહેતા હોય હું ફક્ત તે ઘરમાં જ નિવાસ કરું છું. આ જ પ્રકારે જે લોકો નારીનું અપમાન કરે છે તે લોકોના જીવનમાં પણ સદાય ધનનો અભાવ જ રહે છે. ઘણા લોકો ભોજનનું પણ અપમાન કરે છે જેના કારણે હું તેમના ઘરમાં બિરાજમાન થતી નથી. તેથી જે લોકો ઈચ્છે છે કે હું તેમના ઘરમાં નિવાસ કરું તો તે મારી પૂજા કરવાની સાથે સાથે નારીનું પણ સન્માન કરે. સદાય ભોજનનું આદર કરે. ઘરમાં શાંતિ જાળવી રાખે, જે પણ કામ કરે સાચા મનથી કરે અને ક્યારેય પણ ખરાબ કર્મ ના કરે. જે માણસ આ વાતોનું ધ્યાન રાખે છે અને મારી પૂજા દર શુક્રવારે કરે છે. તેમના જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.

માતા લક્ષ્મીની આ વાત સાંભળીને ઇન્દ્રદેવને સમજમાં આવી ગયું કે માં ફક્ત તે ઘરમાં જ નિવાસ કરે છે જ્યાં શાંતિ હોય છે. જે લોકોનું મન સાચું હોય છે તેના પર માં લક્ષ્મીજીની કૃપા થાય છે. વળી જે લોકોનાં કર્મ ખરાબ હોય છે તે લોકોના જીવનમાં સદાય ગરીબી જ જળવાઈ રહે છે. જો તમે પણ માં લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમની કૃપા મેળવવા માંગો છો તો ઉપર જણાવવામાં આવેલી વાતોનું ધ્યાન જરૂર રાખો. સાથે જ આ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે નીચે જણાવવામાં આવેલ ટોટકા પણ અવશ્ય કરો.

  • માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે તેથી તમે તેમની પૂજા કરતા સમયે તેમની કમળનું ફૂલ જરૂર અર્પિત કરો.
  • ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી પીપળાના વૃક્ષ પર નિવાસ કરે છે તેથી તમારે આ વૃક્ષની પૂજા પણ જરૂર કરવી જોઈએ.
  • ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ.
  • શુક્રવારનું વ્રત કરવું અને માં લક્ષ્મીજીની કથાને પણ જરૂર વાંચવી.