શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરોમાં પ્રવેશતા પહેલા શા માટે તેમની સીડીઓને સ્પર્શ કરવામાં આવે છે

Posted by

ભારત દેશમાં મંદિરોને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જ્યાં વ્યક્તિને આત્માથી લઈને આધ્યાત્મ સુધીની શુદ્ધિ મળે છે. મંદિરમાં જઈને વ્યક્તિના મનને શાંતિ મળે છે. પરંતુ તેના સિવાય પણ ઘણી એવી ચીજ હોય છે જે દરેક વ્યક્તિ કરતા હોય છે. જેમાંથી પહેલું છે કે જેમાં જ્યારે તમે કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોવ છો અને રસ્તામાં મંદિર કે કોઈપણ પૂજા સ્થળ દેખાઈ જાય તો તેને જોઈને માથું નમાવીને પ્રણામ કરવું તે દરેક વ્યક્તિની આદત હોય છે. જેને કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂલતો નથી.

તેવામાં જ એક બીજું કામ હોય છે મંદિરમાં પ્રવેશ કરતાં સમયે સૌથી પહેલા મંદિરની સીડીઓને સ્પર્શ કરવાનું અને મંદિરના દરવાજા પર લાગેલી ઘંટડીને વગાડવી. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે એવું શા માટે કરીએ છીએ ? કે પછી ફક્ત આપણા વડીલો દ્વારા કરવામાં આવેલી ચીજોને આંખ બંધ કરીને તેમને ચલાવી રહ્યા છીએ ?

મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટડી વગાડવી, પ્રથમ પગથિયાને સ્પર્શ કરીને માથું નમાવવું તે એવા કામો છે જે સદીઓથી એકબીજાની નકલ કરીને લોકો કરી રહ્યા છે. પરંતુ ભાગ્યે જ કોઈને તેની પાછળનું તથ્ય અને આવું કરવાનું કારણ ખબર હશે. ખરેખર હવે તમે પણ વિચારી રહ્યા હશો. તો ચાલો અમે તમને જણાવી દઇએ કે આવું કરવા પાછળનું ખરું કારણ શું છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ ભગવાનની પૂજા શરૂ થઈ જાય છે અને તેમના સન્માનમાં આપણે સીડીઓને સ્પર્શ કરીએ છીએ. બીજી તરફ અમુક લોકોનું માનવું છે કે આવું કરીને આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા અને પૂજા અર્ચના શરૂ કરતા પહેલા ભગવાન પાસે પરવાનગી લઈએ છીએ અને તેમને સન્માન આપીએ છીએ. આ વાતોથી સ્પષ્ટ થાય છે કે આપણે એવું એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે દેવતાઓને પોતાના વિનમ્ર સ્વભાવનો પરિચય આપી શકીએ. મંદિરના દરવાજાની પહેલી સીડી તમને મુખ્ય મંદિર અને મુર્તિ સાથે જોડે છે.

હિન્દુ મંદિરોને એક વિશેષ પ્રણાલીનું અનુસરણ કરીને બનાવવામાં આવે છે જેના અનુસાર જ બધા મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દુ મંદિર વાસ્તુકલા, સ્થાપત્ય વેદ પર આધારિત છે. આ વેદના અનુસાર મંદિરને એવી રીતે બનાવવું જોઈએ અથવા તો બનાવવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર પર દેવતાના પગ હોય. તેથી મંદિરના પ્રવેશ દ્વારને સ્પર્શ કરીને માથું નમાવે છે જેનો અર્થ થાય છે કે તમે ભગવાનના પગને સ્પર્શ કરી રહ્યા છો.

મતલબ કે તમે જ્યારે પણ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા પહેલી સીડીને સ્પર્શ કરી રહ્યા છો તો ધ્યાન રાખજો કે તમે ભગવાનના પગને સ્પર્શ કરી રહ્યા છો. હવે વાત કરીએ તો મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટડી વગાડવાનું કારણ તો તેની પાછળ તે તથ્ય માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલી ઘંટડી  વગાડવાથી ઈશ્વરના આશીર્વાદ અને સંપતિની પ્રાપ્તિ થાય છે. સાથે જ જે જગ્યાઓ કે મંદિરોમાં રોજ ઘંટડી વાગે છે તેમને જાગૃત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *