તમારી રાશિ અનુસાર બસ કરી દો આ ઉપાયો, જીવનમાં મળવા લાગશે સફળતા, થશે ભાગ્યોદય

Posted by

પોતાની મહેનતથી જીવનમાં કંઈપણ મેળવી શકાય છે. જો કે જે લોકોનું ભાગ્ય તેની સાથે હોય છે તેમને મહેનત કર્યા વગર પણ બધું જ મળી જતું હોય છે. હકીકતમાં જે લોકોના ગ્રહ મજબુત હોય છે તેમના પર વિશેષ કૃપા બનેલી હોય છે અને આવા લોકોને ખૂબ જ સરળતાથી તે બધું જ મળી જતું હોય છે જેને મેળવવાની ઇચ્છા તે રાખતા હોય છે. વળી અમુક લોકો એવા પણ હોય છે જેમને મહેનત કરવા છતાં પણ ઇચ્છિત પરિણામ મળી શકતું નથી. જો તમે પણ આ લોકોમાંથી છો અને તમે પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો બસ પોતાની રાશિના આધાર પર નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરી દો. આ ઉપાયોને કરવાથી તમારા ગ્રહ મજબુત થઇ જશે અને તમારું ભાગ્ય ચમકવા લાગશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ દરેક મંગળવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ. ગોળનું દાન કરવાથી મંગળ ગ્રહ મજબુત થઇ જાય છે અને આ ગ્રહના મજબૂત થવાથી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગોળની સિવાય જો તમે ઈચ્છો તો લાલ વસ્તુઓનું દાન પણ આ દિવસે કરી શકો છો. આ ઉપાય ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી કરવા.

વૃષભ રાશિ

શુક્રવારના દિવસે આ રાશિના જાતકોએ સાકર અથવા તો ખાંડનું દાન કરવું. હકીકતમાં શુક્રવારના દિવસે સફેદ રંગની ચીજોનું દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે અને બગડેલા તમામ કામ બનવા લાગે છે. તેથી તમારે શુક્રવારના દિવસે કોઈ નજીકના વ્યક્તિ કે મંદિરમાં સાકરનું દાન કરવું.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ બુધવારના દિવસે લીલા રંગની દાળનું દાન કરવું. હકીકતમાં મિથુન રાશિ સાથે બુધ ગ્રહ જોડાયેલ હોય છે અને આ ગ્રહને લીલો રંગ પ્રિય છે. તેથી મિથુન રાશિના લોકોએ સતત ૧૧ બુધવાર સુધી લીલા રંગની દાળનું દાન કોઇ ગરીબને કરવું જોઈએ. દાળ સિવાય તમે લીલા રંગના કપડાનું પણ દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી જીવનમાં રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને વૈવાહિક જીવનમાં સુખનું આગમન થવા લાગે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોએ સોમવારના દિવસે ચોખ્ખાનું દાન કરવું જોઈએ. ચોખ્ખાનું દાન કરવાથી તમારું સ્વાસ્થય ખૂબ જ સારું જળવાઈ રહે છે. સાથે જ જે કાર્યમાં તમે પોતાનો હાથ નાખશો તે તમામ કાર્ય પૂર્ણ થશે. તેના સિવાય માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ બુધવારના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

કન્યા રાશિ

આ રાશિના લોકોએ બુધવારના દિવસે ગાયની સેવા કરવી અને ગાયને લીલા રંગનો ચારો નાખવો જોઈએ. સાથે જ ગાયને રોટલીમાં ગોળ ઉમેરીને ખવડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી કન્યા રાશિના લોકોને ધન લાભ થવા લાગશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકોએ શુક્રવારના દિવસે નાની બાળકીઓને ખીરનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી એશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિ સાથે મંગળ ગ્રહ જોડાયેલ હોય છે તેથી વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે ગોળ અને ચણા ગાયને ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી કાર્યસ્થળમાં પ્રગતિ થાય છે અને ભાગ્ય ચમકવા લાગે છે. એટલું જ નહી શત્રુઓનો નાશ પણ થઈ જાય છે.

ધન રાશિ

ધન રાશિના લોકોએ ગુરુવારના દિવસે કોઈ મંદિરમાં જઈને કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. સાથે જ ચણાની દાળ પણ કેળાના વૃક્ષ પર ચઢાવવી જોઈએ. આ દિવસે કેળાનું સેવન કરવું નહીં અને કેળાનું દાન કરવું. આ ઉપાય કરવાથી બધા જ સુખોની પ્રાપ્તિ થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ શનિવારના દિવસે કાળી ચીજોનું દાન કરવું. કાળી ચીજોનું દાન કરવાથી શનિદેવની કૃપા તમારા પર જળવાઈ રહેશે. કાળી ચીજો સિવાય તમે કોઇ ગરીબ વ્યક્તિને કાળા રંગના ધાબળાનું પણ દાન કરી શકો છો. તેના સિવાય સાંજના સમયે શનિ મંદિર જઈને શનિ ગ્રહની પૂજા પણ કરવી.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ શનિવારના દિવસે કાળા અડદનું દાન કરવું. કાળા અડદનું દાન કરવાથી વ્યવસાયમાં આવી રહેલી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. વળી જે લોકો નોકરી કરે છે તે લોકોની પ્રગતિ થવા લાગશે. શનિવારના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડા ધારણ કરી લો. ત્યારબાદ કોઈપણ મંદિરમાં જઈને કાળા અડદની દાળ ચઢાવી દો. તમે ઈચ્છો તો કોઇ ગરીબ વ્યક્તિને પણ આ દાળ દાન કરી શકો છો. આ ઉપાયને સતત ૧૧ શનિવાર સુધી કરશો તો વધારે સારું રહેશે.

મીન રાશિ

આ રાશિના જાતકોએ ગુરુવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડાં પહેરવા. ત્યારબાદ હળદરનું તિલક પોતાના માથા પર લગાવવું. ગુરુ ગ્રહની પૂજા કરવી અને પૂજા પૂરી થયા બાદ હળદર અને બેસનની મીઠાઈનું દાન કરવું. આ ઉપાય કરવાથી ધનની કમી દૂર થાય છે અને ઇચ્છિત ચીજ મળી જાય છે.

તો આ હતા તે ઉપાયો જેને તમારે તમારી રાશિના અનુસાર કરવા. આ ઉપાયોને સાચા મનથી કરવાથી તમારું ભાગ્ય ખુલી જશે અને તમે જે મેળવવા માંગો છો તે તમને મળી જશે. આ ઉપાયો ખૂબ જ કારગર સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *