વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય તો ઘરમાં રાખો આ ૪ ચીજો, પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો

ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ ઇચ્છિત પરિણામ મળી શકતું નથી. ધંધામાં સતત નુકસાન થાય છે. વધારે પડતું રોકાણ કરવા પર બધા જ પૈસા ડૂબી જાય છે અને તમે બરબાદ થઈ જાવ છો. ધંધામાં આવી સમસ્યાઓ આવતી રહે છે અને તમે સમજી નથી શકતા કે આવું કેમ થઈ રહ્યું છે. કહેવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રનો પ્રભાવ આપણા જીવન સાથે જોડાયેલ દરેક વસ્તુ પર પડતો હોય છે અને તે આપણી જીવનશૈલીને પ્રભાવિત કરતી હોય છે. તેથી આપણે ઘરથી લઇને રસોઈ અને બાથરૂમ સુધીનું નિર્માણ વાસ્તુના નિયમો અનુસાર જગ્યા અને દિશા જોઈને કરીએ છીએ.

બસ આવી જ રીતે જો તમને ધંધામાં પરેશાની હોય કે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો વાસ્તુના અમુક ઉપાયો તમને તેનાથી છુટકારો અપાવી શકે છે. આ ઉપાયોને અપનાવવાથી ધંધામાં વૃદ્ધિ થશે અને તમને દરેક કામમાં સફળતા મળશે. કહેવામાં આવે છે કે ધંધામાં થનાર નુકસાનથી બચવા માટે ઘરમાં આ ચાર ચીજોમાંથી કોઈ એક ને જરૂર રાખવી જોઈએ. આ ચીજો સરળતાથી તમને કોઈપણ જગ્યાએથી મળી જશે અને તેનો લાભ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તો કઈ છે તે ૪ ચીજો જે ધંધામાં થનાર નુકસાનને ખતમ કરીને ધંધામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ

ક્રિસ્ટલ બોલ

વ્યવસાયની વૃદ્ધિ માટે ક્રિસ્ટલ બોલ ને વાસ્તુમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુના અનુસાર વ્યક્તિએ પોતાની ઓફિસમા ઉત્તર-પશ્ચિમ દિશામાં રંગબેરંગી ક્રિસ્ટલ બોલ રાખવા જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાથી વ્યવસાય કરનાર વ્યક્તિને લાભ થાય છે અને તેમનો વ્યવસાય ઝડપથી વધવા લાગે છે.

હળદર

વાસ્તુમાં વ્યવસાયમાં ચાલી રહેલી પૈસાથી જોડાયેલી સમસ્યા માટે બીજા ઘણા પણ ઉપાયો છે. કહેવામાં આવે છે કે વ્યવસાય કરનાર વ્યક્તિ જો ઘરની તિજોરી અથવા તો કોઈપણ પૈસા રાખેલ સ્થાન પર હળદરની બે ગાંઠ રાખી દે તો ઘરમાં બરકત જ બરકત થાય છે. તેના સિવાય તિજોરીમાં કે પૈસા રાખેલ સ્થાન પર કુબેર મંત્ર રાખવું પણ લાભકારી માનવામાં આવે છે.

ફિશ એક્વેરિયમ

ફિશ એક્વેરિયમ મોટાભાગના ઘરોમાં હોય છે. ઘરમાં એકવેરિયમ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઇચ્છો છો કે ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય તો ઘરમાં એકવેરિયમ જરૂર રાખો. જેને ઘરમાં રાખવાથી ધન સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થવા લાગે છે અને વ્યવસાયમાં વૃદ્ધિ પણ થવા લાગે છે.

પાણી ભરેલું બાઉલ

વ્યવસાયમાં પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ માટે એકબીજા ઉપાયને પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ ઉપાયમાં ઘરની ઉત્તર દિશામાં પક્ષીઓ માટે પાણીથી ભરેલ એક બાઉલ રાખી દેવું જોઈએ. ધ્યાન રાખો કે આ બાઉલ માટીનું હોય. જોકે તમે કોઈપણ બાઉલ રાખી શકો છો પણ માટીનું બાઉલ રાખવું વધારે શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી આવકનો સ્ત્રોત વધે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.