જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોનાં દોષ હોય છે તો તે વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો અને પરેશાનીઓ રહે છે. જ્યોતિષમાં ગ્રહોનાં દોષ દુર કરવાનાં ચમત્કારી ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો નિયમિત રૂપથી કરતા રહેવાથી ભગવાનની કૃપા મળે છે અને વ્યક્તિનાં દરેક દુઃખ દુર થઈ શકે છે. કાર્યમાં સફળતા મળી શકે છે. આ ઉપાયો અલગ-અલગ વસ્તુથી કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘરનું પુજાસ્થળ, ઘર આંગણાની તુલસી અને ભગવાનનાં મંદિરમાં સવાર-સાંજ દિવો કરવાથી વ્યક્તિને પોતાનાં દરેક કામમાં સફળતા મળે છે.
- શત્રુઓનો ભય દુર કરવા માટે હનુમાનજીની સામે સરસવનાં તેલનો દિવો લાલ દોરાની વાટથી પ્રગટાવો જોઈએ અને હનુમાનષ્ટક નો પાઠ કરવો જોઈએ.
- પતિ-પત્નિ વચ્ચે તાલમેલની કમી અને વાદ-વિવાદ થતો હોય તો ભગવાન શિવ-પાર્વતી કે ભગવાન શ્રી વિષ્ણુ-લક્ષ્મીની સામે ગાયનાં ઘી નો દિવો પ્રગટાવો જોઈએ. સાથે જ લગ્નજીવનની પરેશાનીઓ દુર કરવાની તેમની સામે પ્રાર્થના કરો.
- ખુબ જ મહેનત કરો છો પરંતુ ધન નથી મળતું તો દરરોજ સાંજે દેવી લક્ષ્મીની સામે ઘી નાખીને લાલ વાટ વાળો દિવો પ્રગટાવો. આ દિવો માટી નો હોવો જોઈએ.
- જો નોકરીમાં લાભ નથી મળી રહ્યો અને પૈસાની કમી છે તો લક્ષ્મીજીની સાથે જ ભગવાન શ્રી વિષ્ણુની પુજા કરો. પુજામાં લાલ વાટ વાળો ઘી નો દિવો પ્રગટાવો અને દિવા માં થોડી હળદર, કુમકુમ અને ચોખા પણ નાખો.
- જો ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર છે અને દવાની અસર નથી થઈ રહી તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવનાં તેલનો દિવો પ્રગટાવો જોઈએ. સાથે જ ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી સાવધાનીનું પાલન પણ કરવું જોઈએ.
- ભગવાન શ્રી ગણેશજીની કૃપા મેળવવા માટે ચાર મો વાળા ગાયનાં ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ. ચાર મો એટલે કે દિવા ને ચારેય તરફથી પ્રગટાવવો.
- હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીનાં તેલનો દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- ભગવાન શિવજીની સામે માટી નો દિવો ગાયનું ઘી નાખીને પ્રગટાવો. “ઓમ નમઃ શિવાય” મંત્રનો ૧૦૮ વાર જાપ કરો. આ ઉપાય કરવાથી બધી જ પરેશાનીઓ દુર થઈ શકે છે.
- ભૈરવ ભગવાનને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો ચૌમુખી દિવો પ્રગટાવો. આ ઉપાયથી શત્રુઓનો ભય દુર થઇ શકે છે.
- ધન લાભ મેળવવા માટે દરરોજ સવાર-સાંજ ઘરનાં ઉંબરા પર ગાયનાં ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ.